ફરી એકવાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરીને ફાઈનલ કરવામાં માત્ર સાત દિવસનો સમય આપીને ચુપચાપ નાગરિકોના મતના અધિકાર ઉપર તરાપ મારવાનો...
i-Hub ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન ઉદગમ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર 30થી વધુ મહિલાઓનું સન્માન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી...
પિકેડેમી દ્વારા વિદ્યાર્થીઓમાટે AI-સંચાલિત ગ્લોબલ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનું અનાવરણ દેશમાં તથા વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજ, યુનિવર્સિટી, કોર્સ વગેરેની માહિતી સરળ અને ઝડપી મેળવી શકે એ માટે પિકેડેમી દ્વારા Artificial Intelligece આધારિત સર્ચ એન્જિનનું આજે અમદાવાદના AMAમાં અનાવરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી માટે કોર્સ, કોલેજ, યુનિવર્સિટી, દેશ વગેરેની પસંદગી જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકી એક હોય છે. આ નિર્ણયને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલું પિકેડેમી સર્ચ એન્જિન AI વડે સજ્જ છે. પિકેડેમીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ કોર્સના નામ, કોર્સની અવધિ, પાત્રતા, પ્રવેશ પરીક્ષાઓ, ફી, સ્કોલરશિપ જેવા માપદંડના આધારે કોલેજ તથા યુનિવર્સિટી પસંદ કરી શકે છે. પરંપરાગત એજ્યુકેશન પોર્ટલોની સરખામણીમાં પિકેડેમી વિદ્યાર્થીના ઉદ્દેશ્યને તથા અપેક્ષાને સમજીન ચોક્કસ, અર્થપૂર્ણ અને નિર્ણાયક પરિણામ પુરા પાડે છે. આ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનુંબ્રેઇન “પિક્સી“છે, જેએકબુદ્ધિશાળી AI આસિસ્ટન્ટ છે. વિદ્યાર્થીઓને તે ભારતભરમાં અને અમેરિકા, યુનાઇટેડ કિંગડમ (UK), સ્પેન, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્ર દરમિયાન “નશા મુક્ત ગુજરાત” અભિયાનને અસરકારક રીતે અમલમાં મુકવા માટે દરેક ઝોનમાં નશા મુક્તિ કેન્દ્ર શરૂ કરવાની રજૂઆત નિરવ baxiકરવામાં...
વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા નિમિત્તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવ યોજાયો જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરાને ઉજાગર કરતી એક ગૌરવસભર ધાર્મિક ઘટના રૂપે રામનગર, સાબરમતી ખાતે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના પાર્શ્વનાથ આરાધના ભવનમાં પંચાહ્નિકા તપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તથા ૧૦૮ ફૂટના આદિનાથ દાદાના પ્રેરક, જંબૂદ્વીપ, નાગેશ્વર, માંડવગઢ અને માણીભદ્ર તીર્થોના ઉદ્ધારક તથા માર્ગદર્શક ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના પાવન સાનિધ્યમાં આ તપોત્સવ યોજાયો હતો. કાર્યદક્ષ વિનયી પ.પૂ.આ.મ.શ્રી સૌમ્યચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.વર્ધમાનતપ આરાધક પ.પૂ.આ.મ.શ્રી વિવેકચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.પ્રવર્તક પ.પૂ. શ્રી ધૈર્યચંદ્રસાગર જી મ.સા., પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.ની શિષ્યા, ભીષ્મ તપસ્વિની પ.પૂ.સા. શ્રી ગિરાંશુ મ.સા. શ્રીજી મ.સા.ના દિવ્ય તપોબળથી વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા પ્રસંગે પારણું શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ટ્રસ્ટ્રી શ્રી સંજય જીવણલાલ શાહ તથા શ્રીમતી અલ્પા સંજય શાહ મહિલા વિભાગ(ઉપપ્રમુખ)ના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસર ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર)ના રોજ ઉજવાયો હતો. અલ્પ વયથી આરંભેલી કઠોર તપશ્ચર્યાઓ, અખંડ આરાધના અને સંયમમય જીવન દ્વારા તપસ્વી શ્રીનું જીવન આજે સમાજ માટે પ્રેરણાનું જીવંત પ્રતીક બન્યું છે. આ પંચાહ્નિકા તપોત્સવ દરમિયાન તપવદના, અનુમોદના, વિનંતિ, શ્રમણી–શ્રમણીઓના વંદન તથા પાંચ છોડના ઉદ્યાપન સહિત વિવિધ તપ આરાધના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે અનેક સાધુસાધ્વી ભગવંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ, સાધના અને આત્મશુદ્ધિના ભાવોથી પરિપૂર્ણ બન્યું હતું. તપસ્વી શ્રી દ્વારા કરાયેલ ૧૦૮ ઉપવાસ ગુણસંવનન, 7400 દીર્ઘ આયંબિલ, 18 માસક્ષમણ તથા અન્ય દુર્લભ તપશ્ચર્યાઓએ જૈન સમાજમાં તપમહિમા, સંયમ અને આધ્યાત્મિક ઉન્નતિના મૂલ્યોને તેમજ પ.પૂ.સા. શ્રી ગિરાંશુ ધારા જેમની વાકપ્રતુતા નું પ્રતીક વધુ મજબૂત બનાવ્યા છે. પ્રવચન, શિબિરો અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા અનેક શ્રાવક–શ્રાવિકાઓ ધર્મપથ પર આગળ વધ્યા છે. આ પાવન અવસરે સાબરમતી સંઘ અધ્યદ્મ શ્રી જયંતિભાઈ સંઘવી (રત્નમણી) ધર્મે ટ્રસ્ટ્રી શ્રી ધર્મેશભાઈ શાક અને શ્રી જશવંતલાલ નેમચંદ શાહ સાધુ–સાધ્વી અને જૈન ટ્રસ્ટીઓ, સંઘના સભ્યો અને મહાનુભાવો, ધર્મપ્રેમીઓ અને સંસ્થા સભ્યો હાજર રહ્યા હતા તેમજ હજારો શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા હતા. ...