
EFPO પર ૮.૨૫% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા
ારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે EFPO પર ૮.૨૫% વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. એક સત્તાવાર સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, આ આદેશ બાદ ચાલુ મહિનામાં જ દેશના ૭ કરોડથી વધુ સક્રિય સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા થવાની પ્રબળ શક્યતા છે.
સામાન્ય પ્રક્રિયા હેઠળ, EFPO દ્વારા નક્કી કરાયેલા વ્યાજદરને જ્યારે નાણાં મંત્રાલય અંતિમ મંજૂરી આપે છે, ત્યાર બાદ જ તે ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે. સૂત્રે જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલયે ઈઁર્હ્લંની સર્વોચ્ચ ર્નિણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા ભલામણ કરાયેલા ૮.૨૫% વ્યાજદરના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
આ અગાઉ, ૨ માર્ચ ૨૦૨૬ના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઝ્રમ્ની બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે વ્યાજદર ૮.૨૫% રાખવાનો ર્નિણય લેવાયો હતો. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે સરકારે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરીને તેને સ્થિર રાખ્યો છે. ભારત સરકાર EFPO ફંડ માટે ગેરન્ટર હોવાથી, આ ર્નિણયને નાણાં મંત્રાલયની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયે તમામ ટેકનિકલ અને નાણાકીય પાસાઓની તપાસ કર્યા બાદ આ પ્રસ્તાવ પર મહોર લગાવી દીધી છે. શ્રમ મંત્રાલયના નિર્દેશો અનુસાર, ઈઁર્હ્લં દ્વારા આ મહિનાના અંત સુધીમાં તમામ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં હ્લરૂ૨૬ માટેનું વ્યાજ જમા કરી દેવામાં આવશે. વળી, ઈઁર્હ્લં દ્વારા વિકસાવવામાં આવેલી નવી આધુનિક સિસ્ટમના કારણે આ વખતે વ્યાજની રકમ સભ્યોના ખાતામાં કોઈ પણ વિલંબ વગર તરત જ ટ્રાન્સફર થઈ જશે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, ઈઁર્હ્લં એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે વ્યાજ દર ૮.૨૫ ટકા જાળવી રાખ્યો હતો. ૨૦૨૪ માં, ઈઁર્હ્લં એ ૨૦૨૩-૨૪ માટે વ્યાજ દરમાં થોડો વધારો કરીને ૮.૨૫ ટકા કર્યો હતો, જે ૨૦૨૨-૨૩ માં ૮.૧૫ ટકા હતો.
માર્ચ ૨૦૨૨ માં, સંસ્થાએ ૨૦૨૧-૨૨ માટે વ્યાજ દર ઘટાડીને ૮.૧૦ ટકા કર્યો, જે ચાર દાયકાથી વધુ સમયનો સૌથી નીચો છે. અગાઉ, ૨૦૨૦-૨૧ માં આ દર ૮.૫ ટકા હતો. નાણાકીય વર્ષ ૧૯૭૭-૭૮ માં તે ૮ ટકા હતો.
માર્ચ ૨૦૨૦ માં, EFPO એ ૨૦૧૯-૨૦ માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરનો વ્યાજ દર ૨૦૧૮-૧૯ માં ૮.૬૫ ટકાથી ઘટાડીને ૮.૫ ટકા કર્યો. સંસ્થાએ ૨૦૧૬-૧૭ માં ૮.૬૫ ટકા અને ૨૦૧૭-૧૮ માં ૮.૫૫ ટકા વ્યાજ દર ઓફર કર્યો, જે ૨૦૧૫-૧૬ માં ૮.૮ ટકા હતો. ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ માં વ્યાજ દર ૮.૭૫ ટકા હતો, જે ૨૦૧૨-૧૩ માં ૮.૫ ટકા કરતા વધારે હતો. ૨૦૧૧-૧૨ માં આ દર ૮.૨૫ ટકા હતો.
અગાઉના વર્ષો પર નજર કરીએ તો EFPO એ વ્યાજદરમાં ઘણા ઉતાર-ચઢાવ જાેયા છે:
• ૨૫ (૨૦૨૪-૨૫): ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ ઈઁર્હ્લંએ વ્યાજદર ૮.૨૫% પર યથાવત રાખ્યો હતો.
• હ્લરૂ૨૪ (૨૦૨૩-૨૪): વર્ષ ૨૦૨૪માં EFPO એ વ્યાજદર ૮.૧૫%થી વધારીને ૮.૨૫% કર્યો હતો.
• હ્લરૂ૨૨ (૨૦૨૧-૨૨): માર્ચ ૨૦૨૨માં વ્યાજદર ઘટાડીને ૮.૧૦% કરવામાં આવ્યો હતો, જે તે સમયે છેલ્લા ૪ દાયકાનો સૌથી નીચો સ્તર હતો. આ પૂર્વે ૧૯૭૭-૭૮માં વ્યાજદર ૮% નોંધાયો હતો.
• હ્લરૂ૨૦ (૨૦૧૯-૨૦): માર્ચ ૨૦૨૦માંEFPO પરનો વ્યાજદર ૮.૬૫%થી ઘટાડીને ૮.૫% કરવામાં આવ્યો હતો.
• અન્ય વર્ષો: EFPO એ સભ્યોને ૨૦૧૬-૧૭માં ૮.૬૫%, ૨૦૧૭-૧૮માં ૮.૫૫% અને ૨૦૧૫-૧૬માં ૮.૮% વ્યાજ આપ્યું હતું. જ્યારે ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫માં આ દર ૮.૭૫% હતો.