ગુજરાત

સાવરકુંડલાના ઠવી ગામે ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહનો હુમલો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાંથી વન્યજીવના હુમલાની વધ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠવી ગામે ગત રાત્રિ દરમિયાન એક સિંહે ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક યુવક પર હુમલો કરી દીધો હતો. સિંહના આ હુમલામાં પશુપાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામજનોમાં ભારે ફફડાટ માહોલ જાેવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઠવી ગામે રહેતા અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા રાજુ વાઘેલા ગત રાત્રે ઘરની ઓસરીમાં સૂતો હતો. આ દરમિયાન રાત્રિના અંધકારમાં એક સિંહ શિકારની શોધમાં ગામમાં ધસી આવ્યો હતો અને ઓસરીમાં સૂતેલા રાજુ પર અચાનક હુમલો કર્યો હતો.
સિંહે અચાનક હુમલો કરતા જ ગભરાયેલા રાજુએ જીવ બચાવવા માટે જાેરજાેરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. તેની બૂમો સાંભળીને આસપાસના પરિવારજનો અને ગ્રામજનો લાકડીઓ લઈને તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો અને ઘોંઘાટ જાેઈને સિંહ પશુપાલકને છોડીને ભાગી છૂટ્યો હતો.સિંહના આ હુમલામાં પશુપાલક રાજુ વાઘેલાના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સિંહે તેના પંજા અને દાંત વડે યુવકના પગને ફાડી ખાધો હતો. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ મારફતે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, યુવકની સ્થિતિ હાલ સ્થિર છે, પરંતુ ઇજા એટલી ગંભીર હતી કે તેના પગમાં આશરે ૨૫ જેટલા ટાંકા લેવા પડ્યા છે.ઉલ્લેખનીય છે કે, માત્ર સવા મહિનાની અંદર જ સિંહ દ્વારા નાગરિકો પર હુમલો કરવાની આ છઠ્ઠી ઘટના સામે આવતા વન વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Related posts

GLS યુનિવર્સિટીએ 9માં દીક્ષાંત સમારોહની ગૌરવભેર ઉજવણી કરી

GUJARAT NEWS DESK TEAM

શ્રી સોમનાથ મંદિરના સંકલ્પકર્તા સ્વર્ગીય સરદાર પટેલને જન્મજયંતિએ સોમનાથ ટ્રસ્ટની શ્રદ્ધાંજલિ

GUJARAT NEWS DESK TEAM

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી, ૨૪ કલાકમાં ૬૨ તાલુકામાં ખાબક્યો

પસાર થયેલું UCC બિલ ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ના સંકલ્પને સાકાર કરવા તરફ ગુજરાતનું મક્કમ ડગલું – જગદીશ વિશ્વકર્મા

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની ૩૭૦ જેટલી સોના- ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment