
અમદાવાદના પ્રસિદ્ધ લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાં દર્શન કરવા આવેલા 69 વર્ષીય નિવૃત્ત અજયકુમાર જરદોશનો આશરે ₹1 લાખ 23 હજાર 500ની કિંમતનો iPhone 17 Pro Max ચોરી થયો છે.
16 ઓગસ્ટે સવારે અજયકુમાર મંદિરમાં દર્શન કરી રહ્યા હતા. તેઓ માતાજીની આરાધનામાં મગ્ન હતા ત્યારે ભીડનો લાભ લઈને અજાણ્યા શખસે તેમના પેન્ટના ખિસ્સામાંથી મોંઘો મોબાઈલ સેરવી લીધો હતો.
દર્શન બાદ મોબાઈલ ગાયબ હોવાનું માલૂમ પડતાં વૃદ્ધે આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ મોબાઈલનો પત્તો લાગ્યો નહોતો. અંતે તેમણે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી