ગુજરાત

GLS યુનિવર્સિટીએ 9માં દીક્ષાંત સમારોહની ગૌરવભેર ઉજવણી કરી

GLS યુનિવર્સિટીએ 9માં દીક્ષાંત સમારોહની ગૌરવભેર ઉજવણી કરી

2025 ના બેચના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર પ્રસંગ સમાન  કાર્યક્રમમાં 5000+ વિદ્યાર્થીઓને UG, PG અને ડોક્ટરેટ સ્તરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી

GLS યુનિવર્સિટી દ્વારા 9માં દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહ ખરેખર, શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી સમાન હતો, જેમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓને UG, PG અને ડોક્ટરેટ સ્તરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. GLS કેમ્પસ, લો ગાર્ડન સામે, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના જાણીતા ક્રિકેટર, શ્રી સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની સાથે GLS યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટી, ગુજરાત લો સોસાયટીના પ્રમુખ શ્રી પંકજ પટેલ અને GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સમાજમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ, બે અગ્રણી વ્યક્તિઓ, વિદેશ વિભાગના પ્રભારી શ્રી વિજય ચૌથાઈવાલે અને પ્રખ્યાત ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક અને લેખક શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

આ સમારોહમાં મુખ્ય અતિથિ શ્રી સૂર્યકુમાર યાદવે શિસ્ત, સખત મહેનત અને શ્રેષ્ઠતાની શોધ પરના પોતાના વિચારોથી સ્નાતકોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “સફળતા મેળવવા માટે પ્રતિભા સાથે ધૈર્યવાન અને પ્રતિબદ્ધ હોવું પણ જરૂરી છે. તમે હવે એવી દુનિયામાં પગ મૂકી રહ્યા છો જ્યાં મેદાનની અંદર અને બહાર, બન્ને જગ્યાએ લીડરશીપની જરૂર હોય છે. તમારી વ્યાવસાયિક યાત્રામાં આગળ વધતાં તમારું સમર્પણ તમારી માટે માર્ગદર્શક બને તેવી શુભકામનાઓ આપું છું.”

GLS યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટીએ એક પ્રેરક ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે સ્નાતકોને સતત બદલાતી દુનિયામાં પરિવર્તનને અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “વાસ્તવિક દુનિયા તમારી એવી રીતે કસોટી કરશે, જેની તમે હજુ સુધી કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ સતત શીખવાની અને આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરવાની ક્ષમતા તમારી સૌથી મોટી તાકાત હશે.” તેમણે સ્નાતકોને જીવનભર શીખવાની જરૂરિયાત યાદ અપાવતા ઉમેર્યું હતું કે, “જિજ્ઞાસું બનો અથવા પાછળ રહો. તેની વચ્ચેનો અન્ય કોઇ રસ્તો નથી.”

ગુજરાત લો સોસાયટીના પ્રમુખ શ્રી પંકજ પટેલે સ્નાતકોને હૃદયપૂર્વક અભિનંદન આપતાં કહ્યું હતું કે, “તમે આ સંસ્થામાંથી ફક્ત જ્ઞાન સાથે જ નહીં, પરંતુ નવી જવાબદારી લઈને બહાર નીકળી રહ્યા છો. તમારી પહેલી નોકરી તમારી કારકિર્દી નથી અને તમારી પહેલી ભૂલ, એ તમારી ઓળખ નથી. તે કંઈક એવું બનાવવા વિશે છે, જે દુનિયાને બદલી શકે છે. એક વૈજ્ઞાનિકની જેમ વિચારો, એક ઉદ્યોગસાહસિકની જેમ કાર્ય કરો અને યાદ રાખો, નિષ્ફળતા એ સફળતાની યાત્રાનો એક ભાગ છે.”

GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ વિદ્યાર્થીઓની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ તમારો સમય છે, પણ આ તો ફક્ત શરૂઆત છે. જ્યારે તમે આ કેમ્પસની બહાર નીકળો, ત્યારે યાદ રાખજો કે,  સમય હંમેશા તમારા નિયંત્રણમાં નથી હોતો, પરંતુ તૈયારી તમારા નિયંત્રણમાં હોય છે. તમને ફક્ત જ્ઞાનથી જ નહીં, પણ પરિવર્તન લાવવાના હેતુથી પણ તૈયાર કરવામાં આવ્યા છે. આજે, તમે ફક્ત ડિગ્રી લઈને જ નથી જઈ રહ્યા, ખરેખર તમે તમારા જીવન માટે એક દિશા લઈને જઈ રહ્યા છો. આગળની દુનિયા વિશાળ છે, પડકારોથી ભરેલી છે, પરંતુ તમે તૈયાર છો. નવી ઊંચાઇ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા રહો અને હંમેશા તમારા મૂલ્યોને સમર્પિત રહો.”

GLS યુનિવર્સિટીએ શ્રી વિજય ચૌથાઈવાલે અને શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાને રાષ્ટ્રનિર્માણ, કૂટનીતિ અને કલામાં તેમના અસાધારણ યોગદાનને બિરદાવતા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. શ્રી વિજય ચૌથાઈવાલેને વિદેશ બાબતોમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાને ગુજરાતી રંગભૂમિ અને સિનેમા પર તેમના પ્રભાવ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારોહ અનેક ગૌરવપૂર્ણ ક્ષણોથી ભરપૂર હતો. 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન માટે ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 37 ડોક્ટરલ વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમણે કઠોર સંશોધન અને સમર્પણની એક ઉલ્લેખનીય શૈક્ષણિક સફર પૂર્ણ કરી હતી. આ ઉપરાંત, 40 વિદ્યાર્થીઓને લો(કાયદો), કમ્પ્યુટર એપ્લિકેશન્સ, આઇટી, કોમર્સ,  મેનેજમેન્ટ અને ડિઝાઇન સહિત વિવિધ શાખાઓમાં

Related posts

શંકરસિંહ બાપુના સરકાર પ્રહારો

‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ના સંકલ્પને સિદ્ધ કરવા ઉદ્યોગ વિભાગે ફાઈલોના નિકાલની ગતિ બમણી કરી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

GUJARAT NEWS DESK TEAM

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પરિવહન અને વિકાસને વેગ આપતા 10 ઠરાવો સર્વાનુમતે મંજૂર

GUJARAT NEWS DESK TEAM

સુરતમાં જ્વેલર્સને ત્યાં લંટારૂ ત્રાટક્યા..ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ રસપૂર્વક નિહાળ્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment