
નિયામકની કચેરી અન અને નાગરિક પુરવઠાની તપાસ ટીમ દ્વારા તારીખ ૨૭/૦૮/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર ખાતે ખાંડના વેપારીઓ અને ડીલરોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલ છે. જેમાં સ્ટોકપત્રક સાથે હાજર જથ્થાનું મેળવણું કરી સ્ટોક ૪૦૦૦ ક્વિન્ટલની મર્યાદામાં છે કે નહીં તે તપાસવામાં આવેલ તથા ખાંડનો જથ્થો ૧ માસથી વધારે સમયથી સંગ્રહ કરવામાં આવેલ નથી તે તપાસવામાં આવેલ આ સાથે જ ખાંડના તમામ વેપારીઓ અને ડીલરોને ભારત સરકારના પોર્ટલ https://foodstock.dfpd.gov.in પર નિયમિત રીતે ખાંડનો જથ્થો અપલોડ કરવા સૂચના આપેલ. પુરવઠા વિભાગના સઘન ચેકિંગથી ખાંડની કાળાબજારી અને સંગ્રહખોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.