અમદાવાદના નરોડા વિસ્તારના નાના ચિલોડામાં ગેરકાયદે ડિમોલિશનની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકાનું નામ વટાવીને ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી છે. ત્યારે આ મામલે વિવાદ ઉભો થયો છે.. એક ખાનગી સિક્યુરીટી એજન્સીએ આ ડિમોલિશન કર્યુ હોવાનો આરોપ લાગી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના દરિયાપુરના કોર્પોરેટર નિરવ બક્ષીઆ આ મામલે મ્યુનિસિપલ કમિશનર ફરિયાદ દાખલ કરે તેવી માંગણી કરી છે.