ગુજરાત

ઝેરી કેમિકલને કારણે અનેક પક્ષીઓના અને ૧૫ થી વધુ દૂધાળા પશુના મોત

  1. આણંદના ખંભાતના ભાલ વિસ્તારમાં કેમિકલના પ્રદૂષણે માઝા મુકી હોવાના આક્ષેપ આસપાસના રહીશો કરી રહ્યા છે. વત્રા-વટાદરા ગામની સીમમાં ઝેરી ગેસ ઉડ્યાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ઝેરી ગેસના લીધે ૫૦૦ વીઘામાં પથરાયેલા ડાંગરનો પાક બળીને ખાક થઈ ગયો છે. વાતાવરણમાં ઝેરી ગેસ ફેલાવાને કારણે આકાશમાંથી પક્ષીઓ પણ ટપોટપ નીચે પડ્યા અને તેમના મોત નિપજ્યા હોવાનો ગ્રામજનોનો દાવો છે.
    સોખડા ય્ૈંડ્ઢઝ્રની કેમિકલ કંપની સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઓદ્યોગિક એકમો પર વારંવાર ઝેરી ગેસ, કેમિકલયુક્ત પાણી છોડવાનો આરોપ લાગ્યો છે. બીજી તરફ કેમિકલ યુક્ત દૂષિત પાણી પીવાથી ૧૫ થી વધુ દૂધાળા પશુઓના મોત થયાનો પણ ગામલોકોનો આરોપ છે. આ મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સમગ્ર મામલે ય્ઁઝ્રમ્ એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    ગામલોકોનો દાવો છે કે ખંભાતના વત્રા-વડાદરા સીમ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડાયેલ ઝેરી ગેસને લીધે અનેક પક્ષીઓના મોત નિપજ્યા છે. જ્યારે ૫૦૦થી વધુ વીઘામાં પથરાયેલો ગ્રામજનોનો ડાંગરનો પાક બળીને ખાક થઈ ગયો છે. સ્થાનિકોનો આરોપ છે કે ઔદ્યોગિક એકમો દ્વારા વારંવાર ગેસ અને કેમિકલયુક્ત પાણી છોડવા છતાં ય્ઁઝ્રમ્ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. તો બીજી તરફ ય્ઁઝ્રમ્ના અધિકારીનું કહેવું છે કે સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.
    ગ્રામજનોનો એવો પણ આક્ષેપ છે કે સોખડા ય્ૈંડ્ઢઝ્ર દ્વારા કેમિકલ યુક્ત દૂષિત પાણી સીધું જ દરિયામાં છોડવામાં આવે છે. જેને લીધે સોખડા, લુણેજ અને વડુચી માતા મંદિર નજીક દરિયાઈ વિસ્તારમાં તેની અસર વર્તાઈ રહી છે. જ્યાં દુષિત પાણી પીવાથી ૧૫થી વધુ દુધાળા પશુઓના મોત નિપજ્યાનો આક્ષેપ છે. અલબત્ આ અંગે હજુ કોઈ જાણકારી ન હોવાનું ય્ઁઝ્રમ્ના અધિકારીએ જણાવ્યું છે. અને કહ્યું છે કે સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે.

Related posts

રાષ્ટ્રીય અંગદાન દિવસ: ગુજરાતમાં 657 અંગદાતાઓ તરફથી 2039 અંગોના દાન મળ્યાં

GUJARAT NEWS DESK TEAM

મંત્રી પરશોત્તમ સોલંકી‌ના પુત્ર દિવ્યેશ સોલંકીની જન્મ દિવની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો મામલો કલેક્ટર અને નાયબ મામલતદારના પહેલા જાન્યુ. સુધીના રિમાન્ડ મંજૂર

GUJARAT NEWS DESK TEAM

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

GUJARAT NEWS DESK TEAM

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

ભાજપાપ એટલે  કમિશન – કટકી – કૌભાડ થી કમલમ એમ ટ્રિપલ એન્જિન સરકાર : શૈલેષ પરમાર

Leave a Comment