ગુજરાત

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનુ આહવાન


***
ગુજરાત રાજ્યના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ-૧૭૪ (૧) હેઠળ પંદરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર તા. ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ મળવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની મહત્વની વિગતો માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે.
સત્રનુ મુખ્ય કામકાજ
* રાજ્યપાલશ્રીનું સંબોધન: સત્રના પ્રથમ દિવસે, તા. ૧૬મી ફેબ્રુઆરીએ રાજ્યપાલશ્રી ગૃહને સંબોધિત કરશે.
* અંદાજપત્રની રજૂઆત: નાણામંત્રીશ્રી દ્વારા તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર (બજેટ) રજૂ કરવામાં આવશે.
* વધારાના ખર્ચના પત્રકો: અંદાજપત્રની સાથે વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૮-૧૯ ના વધારાના ખર્ચના પત્રકો તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ના પૂરક પત્રકો પણ રજૂ કરવામાં આવશે.
બેઠકોનું આયોજન અને સમયગાળો
આ સત્ર તા. ૧૬/૦૨/૨૦૨૬ થી તા. ૨૫/૦૩/૨૦૨૬ સુધી કામકાજના કુલ ૨૩ દિવસ ચાલશે, જેમાં કુલ ૨૬ બેઠકો યોજાશે. વિધાનસભાના કામકાજની વહેંચણી નીચે મુજબ કરવામાં આવી છે:
* રાજ્યપાલશ્રીના સંબોધન પર ચર્ચા: ૩ બેઠકો.
* સરકારી કામકાજ અને વિધેયકો: ૪ બેઠકો.
* નાણાકીય કામકાજ: કુલ ૧૮ બેઠકો રહેશે જેમાં  અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે ૪ બેઠકો, વિભાગવાર માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન માટે ૧૨ બેઠકો અને પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન માટે ૨ બેઠકો રહેશે.
* બિનસરકારી કામકાજ: ૬ બેઠકમાં બિનસરકારી કામકાજ નિયમો મુજબ હાથ ધરવામાં આવશે.
પ્રશ્નોત્તરી અને ટેકનોલોજીનો ઉપયોગ
* આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ હાથ ધરવામાં આવશે, જેના માટે માન. અધ્યક્ષશ્રી દ્વારા મંત્રીશ્રીઓના પાંચ જૂથોની રચના કરવામાં આવી છે અને તારાંકિત પ્રશ્નોની સૂચના માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
* માનનીય સભ્યશ્રીઓની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સત્રની શરૂઆત પહેલા માન. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના પ્રમુખપદે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવશે, જેમાં સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજની વિગતવાર ચર્ચા કરી તેની ભલામણો અનુસાર સભાગૃહમાં કામકાજ હાથ ધરવામાં આવશે. આ અંગેની વધુ વિગતો વિધાનસભાની નેવા વેબસાઈટ (www.gujarat.neva.gov.in) ઉપર ઉપલબ્ધ છે.

Related posts

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

સૌરાષ્ટ્રની એક માત્ર મારવાડી યુનિવર્સિટી સહીત ગુજરાત ની 7 યુનિવર્સિટીઓ ને NIRF 2025 રેન્કિંગ માં સ્થાન મળ્યું.

GUJARAT NEWS DESK TEAM

મહેસાણા હાઈ-વે મોતની ચિચિયારીઓથી ગૂંજ્યો; લકઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ, ૨ના મોત

રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે

GUJARAT NEWS DESK TEAM

અદાણી યુનિવર્સિટીમાં ‘ASPIRE 2026’નું ભવ્ય આયોજન2026

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ મિલિટરી સ્ટેશન ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન

Leave a Comment