ગુજરાત

૧૭,૦૦૦ રેશનિંગ દુકાનદારોના કમીશનમાં વધારો કરવાનો નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (ઁડ્ઢજી) ને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, અંત્યોદય અન્ન યોજના (છછરૂ) અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (ઁૐૐ) હેઠળ ગરીબ પરિવારોને ઘઉં અને ચોખાનું વિતરણ કરતા વાજબી ભાવની દુકાન (રેશનિંગ) ના સંચાલકોના કમિશનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ર્નિણયથી રાજ્યના હજારો સંચાલકોને સીધી આર્થિક રાહત મળશે અને અનાજ વિતરણની પ્રક્રિયા વધુ વેગવાન બનશે. અગાઉ વાજબી ભાવની દુકાન ચલાવતા સંચાલકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- ૨૦૧૩ હેઠળ અનાજના વિતરણ પર પ્રતિ ક્વિન્ટલ ૧૫૦ રૂપિયાનું કમિશન મળતું હતું. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુજબ, હવે આ કમિશનમાં ૩૫ રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, હવેથી સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ ૧૮૫ રૂપિયા લેખે કમિશન ચૂકવવામાં આવશે. આ નવા દરોનો અમલ ૧ એપ્રિલ ૨૦૨૬ થી કરવામાં આવશે, જેનાથી રાજ્યની ૧૭,૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનોના સંચાલકોને સીધો ફાયદો થશે. છેલ્લા ઘણા સમયથી રેશનિંગ દુકાનના સંચાલકો વાહન-વ્યવહાર (ટ્રાન્સપોર્ટેશન), મજૂરી ખર્ચ અને દુકાનની જાળવણી સહિતના રોજબરોજના સંચાલન ખર્ચમાં થયેલા વધારાને કારણે સરકાર પાસે કમિશન વધારવાની અપીલ કરી રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના માર્ગદર્શન હેઠળ આખરે આ વ્યાજબી માંગ સ્વીકારવામાં આવી છે. સરકારનું માનવું છે કે કમિશન વધવાથી જાહેર વિતરણ વ્યવસ્થાનું સંચાલન વધુ સારી રીતે થઈ શકશે અને છેવાડાના પાત્રતા ધરાવતા કરોડો પરિવારો સુધી અનાજ પહોંચાડવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.
સંચાલકોને અપાતા આ કમિશન વધારા માટે રાજ્ય સરકારે કુલ ૬૭.૨૦ કરોડ રૂપિયાની માતબર નાણાકીય જાેગવાઈ કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઠરાવ મુજબ, આ ફાળવાયેલા બજેટમાંથી:
૫૨.૬૧ કરોડ રૂપિયા સામાન્ય શ્રેણી પાછળ ખર્ચવામાં આવશે.
૪.૧૧ કરોડ રૂપિયા અનુસૂચિત જાતિ પેટાયોજના (જીઝ્રજીઁ) હેઠળ ફાળવાયા છે.
૧૦.૪૮ કરોડ રૂપિયા જનજાતિ પેટાયોજના (્છજીઁ) હેઠળ ખર્ચ કરવામાં આવશે.

Related posts

ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છેઃ  હેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ

GUJARAT NEWS DESK TEAM

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રીનુ મહાનગરોને વિકાસ વિઝનનો રોડમેપ તૈયાર કરવા આહ્વાન

બગોદરા સામૂહિક આત્મહત્યા મામલે આપે ન્યાયની માગણી કરી

Leave a Comment