ગુજરાત

રાજ્યમાં અનરાધારઃ બનાસકાંઠામાં રેડ એલર્ટ ….

આજે ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ વહેલી સવાર થી જ બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હોઈ તમામને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે.નદીકાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેતી રાખવા ખાસ આગ્રહપૂર્વક જણાવવામાં આવે છે.ભાદરવી પૂનમ મેળામાં આવનારા તમામ માઈભક્તો, પગપાળા સંઘો તથા સેવા કેમ્પોને પણ હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં લેવા કલેક્ટર દ્વારા  વિનંતી કરવામાં આવી છે.

.મુશ્કેલીના કોઈપણ સમયે તાત્કાલિક જિલ્લા તથા તાલુકા કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
જ્યારે ઉકાઈડેમ ના 12 દરવાજા 7 ફૂટ ખોલી તાપી નદી માં પાણી છોડ્યા રહ્યું છે ….તાપી નદી ના કાંઠા વિસ્તાર ના 27 જેટલા ગામો ને સાવચેત કરાયા…સરદાર સરોવર બંધમાંથી વહેલી સવાર સુધીમાં ત્રણ લાખ 81 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.. અમારા ભરૂચના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મળસ્કે સાડા ચાર વાગ્યા સુધીમાં ગોલ્ડન બ્રિજ નીચે  જળસપાટી 28.27 ફૂટે સ્થિર થઇ છે..

રાજ્યના અનેક વિસ્તારોમાં ગઇકાલે મોડી સાંજથી રાત સુધી  ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ છે..

સવારના છ વાગ્યાથી આજે મળસ્કે ચાર વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો..જેમાં તાપીના ડોલવણમાં સાડા છ ઇંચ કરતાં વધુ જ્યારે સુરતના બારડોલીમાં પાંચ ઇંચ કરતાં વધુ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો..જ્યારે સરદાર સરોવરમાંથી વિપુલ પ્રમાણમાં પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયાં છે.. ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના 14 ગામોના લોકોને સાવધ કરાયા છે. જ્યારે અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારના ખેડૂતોને પાકની ચિંતા સતાવી રહી છે.. ત્યારે વડોદરા અને અંકલેશ્વરની શાળામાં રજા જાહેર કરાઇ છે..

 

 

Related posts

શક્તિસિંહ ગોહિલજીએ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા, આગેવાનાઓ સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

GUJARAT NEWS DESK TEAM

માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટના મામલે બાપુ સરકાર પર બગડ્યા

GUJARAT NEWS DESK TEAM

નિકોલ વિધાનસભાના  વિરાટનગર અને ઓઢવ વોર્ડ ખાતે  નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

GUJARAT NEWS DESK TEAM

પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ – ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ રસપૂર્વક નિહાળ્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment