ગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પથિક આશ્રમ સામે ફૂટપાથ પરથી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકોની સુવિધા અને ટ્રાફિક નિયમનને સુચારુ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પથિક આશ્રમની સામે જાહેર જનતા માટે બનાવવામાં આવેલી ફૂટપાથ પરથી રાહદારીઓને ચાલવામાં તથા વાહનવ્યવહારને અડચણરૂપ બનતા લારી-ગલ્લાના દબાણો હટાવવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગોને સ્વચ્છ અને દબાણમુક્ત રાખવાના આશયથી આ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન એસ્ટેટ શાખાની ટીમ દ્વારા પથિક આશ્રમ વિસ્તારમાં તપાસ કરીને ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે ઉભા રહેતા દબાણો સામે સખત પગલાં લેવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત ફૂટપાથ પર દબાણ કરતી કુલ આઠ જેટલી લારીઓ હટાવી લેવામાં આવી છે. આ દબાણો દૂર થવાથી હવે આ વિસ્તારમાં રાહદારીઓ માટે ફૂટપાથ સંપૂર્ણપણે ખુલ્લો અને સુરક્ષિત બન્યો છે, પરિણામે ટ્રાફિક જામની સમસ્યામાં પણ રાહત મળી છે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં જાહેર જનતાને અડચણરૂપ બનતા આવા દબાણો ચલાવી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર ઉભા થતા આવા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. શહેરીજનો અને વેપારીઓને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ જાહેર માર્ગો અને ફૂટપાથને દબાણમુક્ત રાખીને શહેરની વ્યવસ્થા જાળવવામાં મહાનગરપાલિકાને પોતાનો પૂર્ણ સહકાર આપે.

Related posts

સોશિયલ મીડિયા એપ પર દરેક મુદ્દા ઉપર ભાજપા વિરુદ્ધ પાયાવિહોણી આક્ષેપબાજી કરવી એ જ જમીન સાથેનું જોડાણ ગુમાવી ચૂકેલી કોંગ્રેસનું એકમાત્ર કામ – ડૉ. અનિલ પટેલ

GUJARAT NEWS DESK TEAM

આજથી ગુજરાતમાં ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ 

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ   ૧૪ હજારથી વધુ પક્ષીઓને ‘કરુણા અભિયાન’ થકી જીવતદાન અપાયું

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં ભારતના અગ્રણી રુમેટોલોજિસ્ટ્સનું સમ્મેલન : આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગો વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે

GUJARAT NEWS DESK TEAM

શિક્ષણ ક્ષેત્રે ૩૦ વર્ષથી સક્રિય પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧માં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? પુસ્તક પ્રસિદ્ધ કરાયું

પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment