મારું શહેર

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં મિલકતવેરા પેટે રૂ. ૩૦.૯૮ કરોડની વસુલાત, ૬૬,૩૯૩ કરદાતાઓએ નોંધાવી સહભાગીતા

ગાંધીનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગત તારીખ પહેલી એપ્રિલથી મિલકતવેરાની વસુલાતની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જાહેર કરાયેલી દસ ટકા પ્રોત્સાહક વળતર યોજનાને નગરજનો તરફથી બહોળો અને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તારીખ પહેલી એપ્રિલથી આઠમી જૂન સુધીના સમયગાળામાં ૬૬,૩૯૩ કરદાતાઓએ પોતાનો મિલકતવેરો સમયસર ભરપાઈ કરીને આ યોજનાનો લાભ લીધો છે. નાગરિકોના આ સહયોગને પરિણામે મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૩૦.૯૮ કરોડની મિલકતવેરાની આવક પ્રાપ્ત થઈ છે.

આ વસુલાત ઝુંબેશમાં ડિજિટલ માધ્યમોનો ઉપયોગ અત્યંત નોંધપાત્ર રહ્યો છે, જે દર્શાવે છે કે નાગરિકો ઓનલાઈન સુવિધાઓ અપનાવી રહ્યા છે. કુલ ૬૬,૩૯૩ કરદાતાઓમાંથી ૪૩,૮૧૯ કરદાતાઓએ ડિજિટલ માધ્યમથી ઓનલાઈન વેરો ચૂકવીને બાર ટકા પ્રોત્સાહક વળતર યોજનાનો સીધો લાભ મેળવ્યો છે. આ ઓનલાઈન માધ્યમથી થયેલી વસુલાત કુલ ૬૫.૯૯ ટકા જેટલી થવા જાય છે, જેના થકી મહાનગરપાલિકામાં રૂપિયા ૧૮.૯૫ કરોડ જમા થયા છે. મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સ્વીકારવામાં આવે છે, જેમાં ઓનલાઈન વેરો ભરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને નેટ બેન્કિંગ જેવા વિવિધ સુરક્ષિત વિકલ્પો સત્તાવાર વેબસાઈટ gandhinagarmunicipal.com પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા પણ વેબસાઈટ પર મૂકવામાં આવી છે જેથી નાગરિકોને વેરો ભરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે.

ડિજિટલ માધ્યમો ઉપરાંત જે નાગરિકો રૂબરૂ આવીને વેરો ભરવા ઈચ્છે છે તેમના માટે વિવિધ સ્થળોએ ઓફલાઈન સુવિધા પણ કાર્યરત છે. ઓફલાઇન મિલકતવેરો રોકડ સ્વરૂપે સવારે સાડા દસથી બપોરે ચાર વાગ્યા સુધી અને ચેક દ્વારા સવારે સાડા દસથી સાંજે પાંચ વાગ્યા સુધી સ્વીકારવામાં આવે છે. આ સુવિધા ઉત્તર ઝોનની કચેરી પેથાપુર ખાતે, મધ્ય ઝોનની કચેરી સેક્ટર-૧૧ સ્થિત એમ.એસ.બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર ખાતે તેમજ નવા સમાવિષ્ટ વિસ્તારોમાં આવેલ સંબંધિત ગામની જૂની પંચાયત કચેરીઓ ખાતે ઉપલબ્ધ છે. રૂબરૂ વેરો ભરવા આવતા કરદાતાઓને પ્રક્રિયાની સરળતા માટે જૂનું બીલ અથવા અગાઉ નાણાં ભર્યાની પાવતી સાથે લાવવા જણાવાયું છે. ગાંધીનગર મહાનગરપાલિકા તમામ નાગરિકોને ઓનલાઇન મિલકતવેરાની સુવિધાનો મહત્તમ લાભ લઈ પોતાના સમય અને નાણાંની બચત કરવા તેમજ શહેરના વિકાસમાં સક્રિય સહભાગી થવા અનુરોધ કરે છે.

Related posts

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સન્માન કાર્યક્રમ યોજાયો

અસારવાની વિખ્યાત દાદા હરિ ની વાવમાં વરસાદી પાણી ભરાયા

GUJARAT NEWS DESK TEAM

એલિસબ્રિજ પાસે છસ્જી બસ ડિવાઈડર પર ચડી ગઈ

વાઘોડિયા રોડ પર ગારમેન્ટના વેપારી પર ફિલ્મી ઢબે ફાયરિંગ, યુવક ગંભીર

કુડાસણ રિલાયન્સ ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા નિવારવા ગાંધીનગર મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ: નો-પાર્કિંગ સ્પેસમાં મૂકેલા વાહનો સામે કડક કાર્યવાહી

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment