ગુજરાત

ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬’ જાહેર કરશે

રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી ગુજરાત સરકાર આગામી ૧૫ જૂનના રોજ બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-૨૦૨૬” સત્તાવાર રીતે જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરવામાં આવશે.
આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો વધારવા, નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે રોકાણકારો માટે ગુજરાત અગ્રણી રોકાણ સ્થળ બને તે દિશામાં આ નીતિમાં વિવિધ જાેગવાઈઓ કરવામાં આવી હોવાની અપેક્ષા છે. આગામી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬’ માં ઉદ્યોગોના વિકાસ માટે નીચે મુજબના ક્ષેત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે:
ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ(ઈટ્ઠજી ર્ક ર્ડ્ઢૈહખ્ત મ્ેજૈહીજજ): ઉદ્યોગો શરૂ કરવા અને ચલાવવા માટેની વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવી. સ્જીસ્ઈ ક્ષેત્રનું સશક્તિકરણ: રાજ્યના નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ મજબૂત કરવા માટે વિશેષ પ્રોત્સાહનો આપવા.
અદ્યતન ઉત્પાદન અને ટૅક્નોલૉજી: અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા સાથે ટૅક્નોલૉજી આધારિત આધુનિક ઉદ્યોગોને પ્રેરિત કરવા.
નવા ઊભરતા ક્ષેત્રો: ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા અને નવા ઊભરતા ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોકાણ માટે વધુ સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવું.
ઔદ્યોગિક ક્ષેત્રના વિશ્લેષકોના મતે, ગુજરાત લાંબા સમયથી વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ, મજબૂત કનેક્ટિવિટી અને કુશળ કાર્યબળને કારણે સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર રહ્યું છે. નવી ઔદ્યોગિક નીતિ આ વર્તમાન સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવીને રાજ્યની આર્થિક સ્પર્ધાત્મકતા અને આર્થિક વિકાસને નવી દિશા આપશે તેવું અનુમાન છે. ૧૫ જૂને જાહેર થનારા આ સત્તાવાર દસ્તાવેજ બાદ જ નીતિના તમામ આર્થિક પાસાંઓ અને સબસિડીના ધોરણો સ્પષ્ટ થશે.

Related posts

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી

AAP નેતા જીગીશા પટેલ સાથે મહિલાઓ પાણીના બેડાં લઇને આવેદનપત્ર આપવા પહોંચી

પી.એમ. કુસુમ યોજના હેઠળ ગુજરાતના ૧૩ જિલ્લામાં પમ્પ કોમ્પોનન્ટ-સી અન્વયે સૂર્ય ઊર્જા સંચાલિત એક પણ પમ્પ કાર્યાન્વિત કરવામાં આવ્યો નહીં હોવાનો કોંગ્રેસનો આરોપ

GUJARAT NEWS DESK TEAM

બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો  કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

Leave a Comment