ક્રાઇમ

લાલ દરવાજાના બહુચર માતાજી મંદિરમાં ભક્તનો ₹1.23 લાખનો iPhone ચોરાયો, CCTVમાં કેદ થઈ ચોરીની ઘટના

અમદાવાદના પ્રસિદ્ધ લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાં દર્શન કરવા આવેલા 69 વર્ષીય નિવૃત્ત અજયકુમાર જરદોશનો આશરે ₹1 લાખ 23 હજાર 500ની કિંમતનો iPhone 17 Pro Max ચોરી થયો છે.

16 ઓગસ્ટે સવારે અજયકુમાર મંદિરમાં દર્શન કરી રહ્યા હતા. તેઓ માતાજીની આરાધનામાં મગ્ન હતા ત્યારે ભીડનો લાભ લઈને અજાણ્યા શખસે તેમના પેન્ટના ખિસ્સામાંથી મોંઘો મોબાઈલ સેરવી લીધો હતો.

દર્શન બાદ મોબાઈલ ગાયબ હોવાનું માલૂમ પડતાં વૃદ્ધે આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ મોબાઈલનો પત્તો લાગ્યો નહોતો. અંતે તેમણે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Related posts

અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી કેદી માલદે પરમાર મેનગેટ પરથી ફરાર

અમદાવાદમાં સરેઆમ ગોળીબારથી ગભરાટ

GUJARAT NEWS DESK TEAM

2008માં થયેલ માલેગાંવ બ્લાસ્ટ કેસનું ભૂત ફરીથી ધુણ્યું

GUJARAT NEWS DESK TEAM

અઢી દાયકાથી ફરાર આરોપી સીબીઆઇના સકંજામાં

GUJARAT NEWS DESK TEAM

ત્રણ કરોડથી વધુની એમ્બર્સગ્રીન સાથે એક ઝડપાયો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના યુવકને સારવાર માટે રાજસ્થાન લઈ ગયા, વીમાના રુપિયા હડપવા માટે મોતને ઘાટ ઉતારી દીધો

Leave a Comment