ગુજરાત

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભયુ


ગાંધીનગર ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈને આજે રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
ઉમેદવારી નોંધાવતી વખતે ભાજપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતુ, જેમાં પક્ષના ટોચના નેતાઓ, મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ધારાસભ્યો હાજર રહ્યા હતા.
ભાજપે રાજ્યસભા માટે રાજુ શુક્લા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આજે ચારેય ઉમેદવારો સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે ૧૮ જૂને મતદાન યોજાનાર છે, જાેકે ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે ૧૬૧ ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય ઉમેદવારોનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર ૧૨ ધારાસભ્યો હોવાથી ચૂંટણીના ગણિતમાં તે પાછળ હોવાનું માનવામાં આવે છે. પરિણામે ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અગાઉ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યસભાની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવી હતી તેમજ જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોનો વિશેષ પરિચય કાર્યક્રમ પણ યોજાયો હતો. ચૂંટણી પ્રક્રિયા અને આગામી રાજકીય વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ વખતે ભાજપે દર વખતની જેમ ‘નો રિપીટ થિયરી’નો અમલ કરીને નવા ચહેરાઓને રાજ્યસભા માટે તક આપી છે. પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી તેમજ સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે. ર્ંમ્ઝ્ર, આદિવાસી સમાજ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રને પ્રતિનિધિત્વ મળે તે માટે ખાસ ધ્યાન અપાયું છે. સાથે જ લાંબા સમયથી સંગઠન માટે કામ કરતા કાર્યકરો અને નેતાઓને પ્રાધાન્ય આપીને પક્ષે સંગઠન પ્રત્યેની વફાદારીનું સન્માન કર્યું છે. હાલના સંખ્યાબળના આધારે ચારેય ઉમેદવારોનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે અને હવે સૌની નજર ઉમેદવારી પ્રક્રિયા તથા ચૂંટણીના અંતિમ પરિણામ પર રહેશે. જ્યારે ૯ જૂનનાં રોજ ડોક્યુમેન્ટ વેરિફીકેશન થશે. ૧૧ જૂનનાં રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ છે. તો ૧૮ જૂનનાં રોજ ચૂંટણી માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. ૯ વાગ્યાથી ૪ વાગ્યા સુધી મતદાન માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ૧૮ જૂનનાં રોજ સાંજે ૫ વાગ્યે મતગણતરી હાથ ધરાશે. ર્ં

Related posts

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ (SC) પર અત્યાચારની કુલ ૧૩,૬૨૯ ઘટનાઓ, અનુસુચિત જનજાતિ(ST) પર થતા અત્યાચારની ૩૫૫૩ ઘટનાઓ : ડૉ.હિરેન બેન્કર

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં સો થી વધુ ‘ફોર્ચ્યુન 500’ કંપનીઓ કાર્યરત, વૈશ્વિક મૂડી માટે ગુજરાત પસંદગીનું કેન્દ્ર “વિકસિત ભારત એટલે વિકસિત ગુજરાત” મુખ્યમંત્રી

પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

અમદાવાદના બાપુનગરમાં નમોત્સવને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો

GUJARAT NEWS DESK TEAM

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રથમ યાદી જાહેર કરી

રોકાણ માટે ‘આ જ સમય છે, સાચો સમય છે’,  વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment