ગુજરાત

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, બાંદ્રા ટર્મિનસ–ભુજ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર પૂર્ણ આરક્ષિત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નં. 09037/09038 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ (દ્વિસાપ્તાહિક) સ્પેશિયલ [કુલ 24 ફેરા]
ટ્રેન નં. 09037 બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવાર અને શનિવારે બાંદ્રા ટર્મિનસથી 14.40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 05.50 કલાકે ભુજ પહોંચશે। આ ટ્રેન 06 ડિસેમ્બર, 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે.
તે જ રીતે, ટ્રેન નં. 09038 ભુજ–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવાર અને રવિવારે ભુજથી 17.40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે। આ ટ્રેન 07 ડિસેમ્બર, 2025 થી 16 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે।
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરુચ, વડોદરા, આનંદ, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે।
આ ટ્રેન સંપૂર્ણપણે આરક્ષિત રહેશે અને તેમાં એસી 3-ટિયર કોચ રહેશે.
ટ્રેન નં. 09037 અને 09038 ની બુકિંગ 04 ડિસેમ્બર, 2025 થી તમામ પીઆરસી કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે। મુસાફરો ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના વિશેની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Related posts

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક

GUJARAT NEWS DESK TEAM

“શહેરો વિકાસનું એન્જિન છે : દેશના સ્થાયી વિકાસ માટે શહેરો ગતિશીલ, ઉત્પાદક અને કાર્યક્ષમ હોવા જરૂરી– ટાઉન પ્લાનર તજજ્ઞો

GUJARAT NEWS DESK TEAM

IIMA એ કેસ-આધારિત શિક્ષણશાસ્ત્રને આગળ વધારવા માટે કેસ મેથડ ઓફ લર્નિંગમાં મદન મોહનકા સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું

GUJARAT NEWS DESK TEAM

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ..પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચકાસણી પણ શરૂ કરવામાં આવી

હડદડ ગામના પીડિત પરિવારો સાથે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ફોન પર વાતચીત કરી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment