રાષ્ટ્રીય

અસમમાં કુદરતનો પ્રકોપ : પૂરના કારણે મૃત્યુઆંક ૬૬ પહોંચ્યા

અસમમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪ લોકોના મોત થતાં રાજ્યમાં પૂરના કારણે જીવ ગુમાવનારાઓનો આંકડો ૬૬ સુધી પહોંચી ગયો છે. હાલમાં જ થયેલા મોતમાં ૩ લોકો શિવસાગર જિલ્લાના અને ૧ વ્યક્તિ ચરાઈદેવ જિલ્લાનો હતો. અસમ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ (છજીડ્ઢસ્છ) ના રિપોર્ટ અનુસાર, રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૬.૫૪ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આવેલી આંતર-મંત્રાલયી કેન્દ્રીય ટીમે રવિવારે ચરાઈદેવ જિલ્લાના પૂર પ્રભાવિત સુમોની ગામની મુલાકાત લઈ નુકસાનીનો ચિતાર મેળવ્યો હતો. ચરાઈદેવ જિલ્લા કમિશનર નેહા યાદવની હાજરીમાં આ ટીમે સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ટીમ ૨૯ જુલાઈ સુધી ચરાઈદેવ, શિવસાગર, જાેરહાટ અને ગોલાઘાટ જિલ્લાની મુલાકાત લેશે. કેન્દ્ર સરકારને સોંપવામાં આવનારા આ ટીમના રિપોર્ટના આધારે અસમ માટે પુનર્વસન પેકેજ નક્કી કરવામાં આવશે. મુલાકાત પૂર્ણ કર્યા બાદ આ ટીમ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સાથે પણ બેઠક કરશે.
પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમે પૂરપીડિતો સુધી રાહત સામગ્રી પહોંચાડવા અને એરડ્રોપ કરવા માટે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છીએ. ગ્રાઉન્ડ અનુભવના આધારે, અમે મોટા જથ્થામાં ટાર્ગેટેડ ડ્રોપ કરવાનો પ્રયાસ કરીશું જેથી લોકોને સરળતાથી રાહત સામગ્રી મળી શકે.
પૂરના પાણી રાજ્યના ૨૮ મહેસૂલી વર્તુળોના ૮૧૦ ગામો સુધી ફેલાઈ ગયા છે. આશરે ૩૪,૯૭૦ હેક્ટર જમીન પરનો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કામરૂપ અને કામરૂપ (મેટ્રો) ના શહેરી વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
રાજ્યના શિવસાગર, ચરાઈદેવ, કામરૂપ, કામરૂપ (મેટ્રો), જાેરહાટ, ગોલાઘાટ, ડિબ્રૂગઢ, હોજાઈ, સોનિતપુર અને નગાંવ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. જેમાં સૌથી ગંભીર અસર શિવસાગરમાં જાેવા મળી છે, જ્યાં આશરે ૨.૯૦ લાખ લોકો પૂરથી પીડાઈ રહ્યા છે. આ સિવાય ચરાઈદેવમાં ૧.૮૮ લાખ અને જાેરહાટમાં ૧.૩૨ લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
પૂરના કારણે માળખાકીય સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં ૧૪૩ રસ્તાઓ અને ૧૦ તટબંધો ક્ષતિગ્રસ્ત થયા છે. માત્ર શિવસાગર જિલ્લામાં જ ૭ જગ્યાએથી તટબંધ તૂટવાની ઘટનાઓ સામે આવી છે. આ સિવાય ૪.૫૪ લાખથી વધુ પશુઓ પ્રભાવિત થયા છે, જ્યારે ૩,૦૦૦ થી વધુ પશુઓ અને પોલ્ટ્રી તણાઈ ગયા હોવાના અહેવાલ છે.
વહીવટીતંત્રે પૂરપીડિતોની મદદ માટે ૨૭૪ રાહત કેન્દ્રો શરૂ કર્યા છે. જેમાં ૯૦ રાહત શિબિર અને ૧૮૪ રાહત વિતરણ કેન્દ્રોનો સમાવેશ થાય છે. હાલ આ શિબિરોમાં ૧૮,૯૦૨ લોકો આશરો લઈ રહ્યા છે, જેમાં ૨,૧૫૭ બાળકો અને ૧૮૭ ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓ છે. દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ અને સ્થાનિક તંત્રની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરીમાં સતત જાેડાયેલી છે.
કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલે શિવસાગરના રાહત શિબિરોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે પૂરની સ્થિતિને બેહદ ગંભીર ગણાવી હતી અને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ મળીને રાહત અને બચાવ કાર્યને ઝડપથી આગળ વધારી રહી છે, જેથી પ્રભાવિત લોકો સુધી તમામ શક્ય સહાય પહોંચાડી શકાય.
કેન્દ્રીય જળ આયોગ (ઝ્રઉઝ્ર) ના રિપોર્ટ મુજબ, શિવસાગરની દિખૌ નદી અને નુમાલીગઢ પાસે દક્ષિણ ધાનસિરી નદી હજુ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી ગઈ છે અને તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ે

Related posts

વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

દરિયો ખંગાળવાનું ભારતનું મિશન

GUJARAT NEWS DESK TEAM

સમાચાર એજન્સી યુએનઆઈનું મુખ્યાલય પોલીસે બળજબરીપૂર્વક સીલ કર્યુ

GUJARAT NEWS DESK TEAM

ધરાલી દુર્ઘટનાનો આજે આઠમો દિવસઃગુમ થયેલા લોકોની શોધખોળ

GUJARAT NEWS DESK TEAM

આખરે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી સુચિતા ઉગલેએ જીવન ટૂંકાવ્યુ

Leave a Comment