ગુજરાત

અદાણી ફાઉન્ડેશન દ્રારા સલાયા બીચ, માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉત્સાહભેર ઉજવણી

અદાણી ફાઉન્ડેશન દ્રારા સલાયા બીચ, માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉત્સાહભેર ઉજવણી

 

કચ્છ, માંડવી – અદાણી ફાઉન્ડેશન, જે કચ્છ જિલ્લામાં ટકાઉ વિકાસ અને સમુદાય કલ્યાણ માટે અગ્રેસર છે, એ સલાયા બીચ ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ભવ્ય ઉજવણી કરી. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો અનોખો સંદેશ સમાજમાં પ્રસરાવ્યો.

આ અભિયાનમાં સીમા જાગરણ મંચ, માંડવીના માછીમાર સમાજ, ખારવા સમાજ, ભારત વિકાસ પરિષદ, એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવીની NCC ટીમ, સલાયા પ્રાથમિક શાળા તથા ગવર્મેન્ટ સાયન્સ કોલેજ માંડવી જેવા અનેક સંગઠનો જોડાયા હતા. 150થી વધુ વિદ્યાર્થીઓ અને સમુદાય સભ્યોએ દરિયાકાંઠેથી કચરો દૂર કરી દરિયાઈ પરિસ્થિતિ તંત્રના સંરક્ષણ માટે અનોખું યોગદાન આપ્યું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ વિધાયક શ્રી અનિરુદ્ધભાઈ દવે એ અદાણી ફાઉન્ડેશનના પ્રયત્નોની પ્રશંસા કરી અને દરિયાકાંઠાની જૈવવિવિધતા તથા દરિયાઈ જીવનને બચાવવા દરેક નાગરિકે પોતાનો ફાળો આપવો જરૂરી હોવાનું જણાવ્યું.

અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ માટે અનેક સતત પહેલો હાથ ધરે છે:

  • ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ – 35 શાળાઓ અને 5,000થી વધુ વિદ્યાર્થીઓ સાથે એકવાર ઉપયોગી પ્લાસ્ટિકના રિસાયકલિંગ અંગે જાગૃતિ.
  • પ્લાસ્ટિક-મુક્ત ગામો – બે ગામોને પ્લાસ્ટિક-મુક્ત ગામોના મોડલ રૂપે વિકસાવવા પ્રયાસ.
  • સમુદાય જાગૃતિ સત્રો – કચરાની અલગાવણી, પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને સ્થાનિક જૈવવિવિધતા સંરક્ષણ માટે નિયમિત કાર્યક્રમો.
  • મહિલા સ્વસહાય જૂથો – અત્યાર સુધી 7,000થી વધુ કાપડની થેલીઓનું ઉત્પાદન, પર્યાવરણમૈત્રી જીવનશૈલીને પ્રોત્સાહન.

અદાણી ફાઉન્ડેશન તળસ્તરીય અભિયાન અને લાંબા ગાળાની યોજના દ્વારા પર્યાવરણ સંરક્ષણ તથા સમાજને સશક્ત બનાવવાના કાર્યમાં અગ્રેસર રહી, નાગરિકો અને સંસ્થાઓને પ્રેરણા પૂરું પાડતું રહ્યુ છે.

 

Related posts

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં પ્રદેશના નવનિયુકત પદાધિકારીશ્રીઓની બેઠક યોજાઇ

GUJARAT NEWS DESK TEAM

ખેડૂતો સાથે છેતરપિંડી કરી તો લાયસન્સ રદ થવાની સાથે થશે જેલ

કૅન્સરના દર્દીઓ માટે  ‘ જીવાદોરી ‘ સાબિત થઈ રહ્યું છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ” :  4 વર્ષમાં કૅન્સરના 2000 થી વધુ દર્દીઓને નવજીવન                

GUJARAT NEWS DESK TEAM

મહેસાણા હાઈ-વે મોતની ચિચિયારીઓથી ગૂંજ્યો; લકઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ, ૨ના મોત

વર્તમાન સરકાર ઉદ્યોગપતિઓના હિત માટે ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીનોને નુકસાન પહોંચાડી રહી છે. : અમિત ચાવડા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા.

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment