ગુજરાત

સાવરકુંડલાના ઠવી ગામે ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહનો હુમલો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાંથી વન્યજીવના હુમલાની વધ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠવી ગામે ગત રાત્રિ દરમિયાન એક સિંહે ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક યુવક પર હુમલો કરી દીધો હતો. સિંહના આ હુમલામાં પશુપાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામજનોમાં ભારે ફફડાટ માહોલ જાેવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઠવી ગામે રહેતા અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા રાજુ વાઘેલા ગત રાત્રે ઘરની ઓસરીમાં સૂતો હતો. આ દરમિયાન રાત્રિના અંધકારમાં એક સિંહ શિકારની શોધમાં ગામમાં ધસી આવ્યો હતો અને ઓસરીમાં સૂતેલા રાજુ પર અચાનક હુમલો કર્યો હતો.
સિંહે અચાનક હુમલો કરતા જ ગભરાયેલા રાજુએ જીવ બચાવવા માટે જાેરજાેરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. તેની બૂમો સાંભળીને આસપાસના પરિવારજનો અને ગ્રામજનો લાકડીઓ લઈને તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો અને ઘોંઘાટ જાેઈને સિંહ પશુપાલકને છોડીને ભાગી છૂટ્યો હતો.સિંહના આ હુમલામાં પશુપાલક રાજુ વાઘેલાના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સિંહે તેના પંજા અને દાંત વડે યુવકના પગને ફાડી ખાધો હતો. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ મારફતે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, યુવકની સ્થિતિ હાલ સ્થિર છે, પરંતુ ઇજા એટલી ગંભીર હતી કે તેના પગમાં આશરે ૨૫ જેટલા ટાંકા લેવા પડ્યા છે.ઉલ્લેખનીય છે કે, માત્ર સવા મહિનાની અંદર જ સિંહ દ્વારા નાગરિકો પર હુમલો કરવાની આ છઠ્ઠી ઘટના સામે આવતા વન વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Related posts

સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો

GUJARAT NEWS DESK TEAM

માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ

GUJARAT NEWS DESK TEAM

વાવાઝોડાથી જોડિયાના સંચાણા બંદરે  50થી 60 માછીમારી બોટને નુકસાન પહોંચતાં તારાજી 

છેલ્લા નવ વર્ષમાં ભાજપના રાજમાં ગુજરાતમાં  ૭૨,૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા:ડો. મનિષ દોશી

GUJARAT NEWS DESK TEAM

નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું નામ નોટ ટ્રસ્ટેબલ એજન્સી કરવું જોઈએ: ડો. કરન બારોટ AAP

AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમીક્ષા તથા સેન્સ પ્રક્રિયાનું આયોજન

Leave a Comment