બિઝનેસ

દેશની તમામ રિફાઈનરીઓ હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ વિરામની જાહેરાત બાદ વૈશ્વિક બજાર અને ભારતીય અર્થતંત્રમાં ભારે ઉત્સાહ, હોર્મુઝ સ્ટ્રેટ મુક્ત થતાં ક્રૂડ ઓઈલનો પુરવઠો સામાન્ય થશે. આ વૈશ્વિક ડીલ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા પુરવઠો ફરી સામાન્ય થવાની આશા જીવંત થઈ છે. ભારતીય પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશની તમામ રિફાઈનરીઓ હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે અને દેશમાં ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે, જેથી નાગરિકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
આ વૈશ્વિક ડીલ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા પુરવઠો ફરી સામાન્ય થવાની આશા જીવંત થઈ છે. ભારતીય પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશની તમામ રિફાઈનરીઓ હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે અને દેશમાં ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે, જેથી નાગરિકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક પેટ્રોલ પંપો (રિટેલ આઉટલેટ્સ) પર સામાન્ય કરતાં વધુ ભીડ અને વેચાણ જાેવા મળ્યું છે, જે અંગે પણ મંત્રાલયે ખુલાસો કર્યો છે.
આ ભીડનું મુખ્ય કારણ એ છે કે જે ઔદ્યોગિક, વ્યવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકો અત્યાર સુધી સીધું બલ્કમાં ઇંધણ ખરીદતા હતા, તેઓ પણ હવે સામાન્ય પેટ્રોલ પંપ પરથી ખરીદી કરી રહ્યા છે. આ બદલાવને કારણે સ્થાનિક રિટેલ આઉટલેટ્સ પર કામચલાઉ ધોરણે ભીડ અને વેચાણમાં વધારો નોંધાયો છે.
બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે ઈરાન સાથે થયેલા કરાર મુજબ વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વનો ગણાતો ‘હોર્મુઝ સ્ટ્રેટ‘ નો દરિયાઈ માર્ગ હવે કોઈપણ ટોલ વિના ખોલવામાં આવશે. આ માર્ગ પરથી નૌકાદળની નાકાબંધી પણ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના ૧૦૭ દિવસના આ ભયાનક સંઘર્ષનો અંત આવવાથી ભારતીય અર્થતંત્રને મોટો વેગ મળશે, પશ્ચિમ એશિયાના દેશોમાં ભારતની નિકાસ વધશે અને ભારતીય રૂપિયામાં પણ સ્થિરતા આવશે.
ઉલ્લેખનીય છે કે આ લાંબા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ઇં૧૦૦ ને પાર થઈ ગયા હતા. આ લડાઈ ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના પરમાણુ મથકો પર સૈન્ય કાર્યવાહી કરી હતી. આ યુદ્ધની સીધી નકારાત્મક અસર ભારતના વેપાર પર પડી હતી, જેના કારણે માર્ચ મહિનામાં ભારતની નિકાસ ૭.૪૪% ઘટીને ઇં૩૮.૯૨ બિલિયન થઈ ગઈ હતી, જે છેલ્લા ૫ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો.ે

Related posts

વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

GUJARAT NEWS DESK TEAM

GCCI બેન્કિંગ અને ફાઇનાન્સ કમિટીએ “ઓપર્ચ્યુનિટીઝ ઓફ ફંડ રેઇઝિંગ થ્રૂ ઈન્ડિયા INX ઈન GIFT IFSC” વિષય પર સેમિનારનું આયોજન કર્યું હતું

GUJARAT NEWS DESK TEAM

એચએસબીસી ઇન્ડિયાએ વડોદરામાં નવી શાખાનો શુભારંભ કર્યો

GUJARAT NEWS DESK TEAM

અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ

GUJARAT NEWS DESK TEAM

બટાકાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર

GUJARAT NEWS DESK TEAM

દાવોસમા અદાણી ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રમાં છ લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment