
ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન એ આજ થી ૨૧ મે થી અસહકાર ના આંદોલન ની શરૂઆત કરી ..ગુજરાત ના ૧૭ હજાર રેશન દુકાનો પૈકી અંદાજે ૨૫ % જેટલી વ્યાજબી ભાવની દુકાનોમાં મે માસ ની ૨૧ તારીખે પણ અનાજ-ખાંડ-તુવેર દાળ-ચણા તેમજ આયોડિન મીઠું નો જથ્થો પુરવઠા વિભાગ ના ગોડાઉન થી રેશનદુકાન ઓ પર પહોંચાડવા માટે નિષ્ફળ નીવડતાં અસહકાર ના આંદોલન ની જાહેરાત કરી..
રાજ્ય ના મુખ્યપ્રધાન સહિત વિભાગના બન્ને મંત્રીઓ અને મુખ્ય સચિવ સહિત વિભાગના સચિવ અને નિયામક તેમજ ગોદામ ના અધિકારીઓ ને સુચિત કરાયા..
આવનારા જુન માસ માં રેશનદુકાન ઓમા વિતરણ કરવામાં આવતા કોઈપણ અનાજ કે કઠોળ સહિત ખાંડ અને નમક ના જથ્થા ની ઓનલાઈન પરમિટ જનરેટ નહિ કરવા સાથે તે અંગે ના ચલણો ના નાણાં ઓનલાઈન કે બેંક ઓમા નહિ ભરી ને રેશન જથ્થો વ્યાજબી ભાવ ની દુકાનો પર નહિ ઉતારે અને તેનાથી દુર રહેશે
દરમાસે નિયત તારીખ સુધી માં રેશન જથ્થો પહોંચી જવા સાથે કમિશન પણ નિયત તારીખ માં રેશનદુકાન ધારકોને ને વિભાગ પહોંચતા કરે તેવી માંગ સહિત વિવિધ પડતર માગણીઓ ને લઈને પરમીટ તેમજ ઓનલાઈન ચલણ ઓ ગુજરાત ભર ના ૧૭ હજાર રેશનદુકાન દારો આ ઉકેલ માટે થઈને આ કાર્યવાહી થી અડગા રહેશે
એસોસિએશન ના પ્રમુખ પહઁલાદ દામોદરદાસ મોદી એ ગુજરાત ભર ના રેશનસંચાલકો ઓને પુરવઠા વિભાગ સામે આંદોલન નું રણશિંગુ ફૂંકવા સાથે અસહકાર ના આંદોલન ની આજ થી શરૂઆત કરી ને દુકાનદારો ને આહવાન કયુઁ