OTHER

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પરશુરામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા આયોજિત ભગવાન પરશુરામજીની શોભા યાત્રાને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
અખાત્રીજના પાવન પર્વ અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
જેના અંતર્ગત રવિવારે ભગવાન પરશુરામ પ્રાગટ્ય દિવસ (જન્મ જયંતિ)ના અવસરે ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત ભગવાન પરશુરામની શોભા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન પરશુરામજીની પૂજા કરીને ચિરંજીવી દેવ પરશુરામજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ,ધારાસભ્ય રીટા પટેલ ,શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષ દવે તેમજ ગાંધીનગર સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જો ભારત જાદુઈ હોત તો?” થીમ પર કનોરિયા આર્ટ સેન્ટર ખાતે બાળકોનું ચિત્ર પ્રદર્શન યોજાયું

GUJARAT NEWS DESK TEAM

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

એસજીવીપી ખાતે શરદોત્સવમાં જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતી

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીનાં રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરતા ઇશ્વરદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો

કાંકરીયા કાર્નિવલ-2025: શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને સુંદર રાખવા AMCનો આયોજનબદ્ધ વેસ્ટ મેનેજમેન્ટ મિશન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment