OTHER

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પરશુરામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા આયોજિત ભગવાન પરશુરામજીની શોભા યાત્રાને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
અખાત્રીજના પાવન પર્વ અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
જેના અંતર્ગત રવિવારે ભગવાન પરશુરામ પ્રાગટ્ય દિવસ (જન્મ જયંતિ)ના અવસરે ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત ભગવાન પરશુરામની શોભા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન પરશુરામજીની પૂજા કરીને ચિરંજીવી દેવ પરશુરામજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ,ધારાસભ્ય રીટા પટેલ ,શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષ દવે તેમજ ગાંધીનગર સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

નશાના વેપલા સામે ગુજરાત સરકારનો વધુ એક પ્રહારઃએન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના

GUJARAT NEWS DESK TEAM

હવે ગુજરાતી કલાકારો  ‘ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ’ (GCPL) રમશે

સાંસદ પરિમલ નથવાણી એ વૃક્ષારોપણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

ઉમિયા માતાજી સંસ્થાન, સોલામાં શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાઓનો ત્રિવેણી સંગમ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

સાણંદની એક રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટી પર રેડ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment