OTHER

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પરશુરામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા આયોજિત ભગવાન પરશુરામજીની શોભા યાત્રાને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
અખાત્રીજના પાવન પર્વ અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
જેના અંતર્ગત રવિવારે ભગવાન પરશુરામ પ્રાગટ્ય દિવસ (જન્મ જયંતિ)ના અવસરે ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત ભગવાન પરશુરામની શોભા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન પરશુરામજીની પૂજા કરીને ચિરંજીવી દેવ પરશુરામજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ,ધારાસભ્ય રીટા પટેલ ,શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષ દવે તેમજ ગાંધીનગર સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આમ આદમી પાર્ટીનાં રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરતા ઇશ્વરદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

ઇન્ડિયન ઓઇલ અને મારુતિ સુઝુકીએ ફ્યુઅલ સ્ટેશનો પર વાહન સેવા નેટવર્કના વિસ્તરણ માટે એમઓયુ કર્યા

GUJARAT NEWS DESK TEAM

24 ઑગસ્ટના દિવસે બ્રહ્માકુમારી દ્વારા અમદાવાદના 18 સેવા કેન્દ્રોમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

ઓઢવમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

અમદાવાદના બાપુનગરમાં નમોત્સવને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો

GUJARAT NEWS DESK TEAM

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે પ્રથમ આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક કામગીરીનો પ્રારંભ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment