બિઝનેસ

અદાણી CNG ભાવમાં ફરી ૨ રૂપિયાનો વધારા

મોંઘવારીના માર વચ્ચે ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા સીએનજી (ઝ્રદ્ગય્)ના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો ઝીંકાયો વધારો કરાયો છે.
આ ભાવ વધારા સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઝ્રદ્ગય્ વાહનધારકો અને રિક્ષાચાલકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધવાનું નક્કી છે.
અદાણી કંપની દ્વારા કરવામાં આવેલા આ તાજા વધારા બાદ હવે અમદાવાદમાં ઝ્રદ્ગય્નો નવો ભાવ પ્રતિ કિલો ૯૦.૦૨ રૂપિયા (કેટલાક વિસ્તારોમાં રૂ.૯૦.૨૦) થઈ ગયો છે. આ અગાઉ પ્રતિ કિલો સીએનજીનો દર ૮૮.૨૦ રૂપિયા હતો, જેમાં ૨ રૂપિયાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ચાલુ વર્ષ ૨૦૨૬માં અદાણી સીએનજી દ્વારા વારંવાર ભાવ વધારો કરીને વાહનચાલકોની કમર તોડી નાખવામાં આવી છે. વર્ષ ૨૦૨૬માં પ્રતિ કિલો કૂલ ૧૦ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લો વધારો ૨૭ મે, ૨૦૨૬ના રોજ ૨ રૂપિયાનો વધારો કરાયો હતો. આ અગાઉના વધારાના માત્ર ૩ મહિનાના ટૂંકા ગાળામાં જ ફરી એકવાર ગ્રાહકો પર મોંઘવારીનો કોરડો વીંઝાયો છે.
ઝ્રદ્ગય્ના ભાવમાં સતત થઈ રહેલા આ ફેરફાર અને વધારાને કારણે મધ્યમ વર્ગ અને ખાસ કરીને સીએનજી પર ર્નિભર લાખો રિક્ષાચાલકો તેમજ કોમર્શિયલ વાહનચાલકો ભારે ચિંતામાં મુકાયા છે. “અગાઉ સરકારે ભાવમાં થોડો ઘટાડો કરીને રાહત આપી હતી, પરંતુ ત્યારબાદ સતત કરવામાં આવી રહેલા ભાવ વધારાથી સીએનજી વાહન રાખવું હવે પરવડે તેમ નથી. આનાથી અમારા રોજિંદા બજેટ પર સીધી અસર પડશે.
નોંધનીય છે કે, વારંવાર વધતા આ ભાવોને કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને રિક્ષા ભાડામાં પણ વધારો થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ે

Related posts

ગુજરાતનો સૌથી મોટો કન્સ્ટ્રક્શન ટ્રેડ ફેર “ગુજરાત કોનેક્સ 2025” ગાંધીનગરમાં શરૂ થયો

GUJARAT NEWS DESK TEAM

જીસીસીઆઈ દ્વારા ‘વાઇબ્રન્ટ પેસ’ની શરૂઆત – કોર્પોરેટ્સ અને વિશ્વસનીય CSR ભાગીદારોને જોડતી વર્ષભરની અનોખી પહેલ

SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીની પ્રાથમિકતાઓની રૂપરેખા

GUJARAT NEWS DESK TEAM

અદાણી જૂથ વધુ એક બિઝનેસમાં એન્ટ્રી કરશે, પીવીસીની આયાત નિર્ભરતા ઘટશે

શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

GUJARAT NEWS DESK TEAM

અદાણી ટોટલ ગેસના નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિકના પરિણામો આ ગાળામાં મજબુત વોલ્યમ અને આવક વૃધ્ધિ

Leave a Comment