ગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પથિક આશ્રમ સામે ફૂટપાથ પરથી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકોની સુવિધા અને ટ્રાફિક નિયમનને સુચારુ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પથિક આશ્રમની સામે જાહેર જનતા માટે બનાવવામાં આવેલી ફૂટપાથ પરથી રાહદારીઓને ચાલવામાં તથા વાહનવ્યવહારને અડચણરૂપ બનતા લારી-ગલ્લાના દબાણો હટાવવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગોને સ્વચ્છ અને દબાણમુક્ત રાખવાના આશયથી આ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન એસ્ટેટ શાખાની ટીમ દ્વારા પથિક આશ્રમ વિસ્તારમાં તપાસ કરીને ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે ઉભા રહેતા દબાણો સામે સખત પગલાં લેવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત ફૂટપાથ પર દબાણ કરતી કુલ આઠ જેટલી લારીઓ હટાવી લેવામાં આવી છે. આ દબાણો દૂર થવાથી હવે આ વિસ્તારમાં રાહદારીઓ માટે ફૂટપાથ સંપૂર્ણપણે ખુલ્લો અને સુરક્ષિત બન્યો છે, પરિણામે ટ્રાફિક જામની સમસ્યામાં પણ રાહત મળી છે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં જાહેર જનતાને અડચણરૂપ બનતા આવા દબાણો ચલાવી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર ઉભા થતા આવા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. શહેરીજનો અને વેપારીઓને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ જાહેર માર્ગો અને ફૂટપાથને દબાણમુક્ત રાખીને શહેરની વ્યવસ્થા જાળવવામાં મહાનગરપાલિકાને પોતાનો પૂર્ણ સહકાર આપે.

Related posts

નાગરિકોના ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર: ખરીદ્યા અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’

GUJARAT NEWS DESK TEAM

હેપ્પી બર્થ ડે ભૂપેન્દ્ર પટેલ

“આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો, દરેક સંવર્ગના અધિકારી-કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો તાબા હેઠળના દરેક કર્મચારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે” : વિકાસ સહાય

GUJARAT NEWS DESK TEAM

સરકાર કમોસમી વરસાદથી સંપૂર્ણ પાકના નાશથી પાયમાલ થયેલ ખેડૂતોને જેટલું વાવેતર છે તેટલું તેમને વળતર આપેઃ શક્તિસિંહ ગોહિલ

GUJARAT NEWS DESK TEAM

પેટ્રોલ-ડિઝલ મામલે કોઇ પણ અફવા ન સાંભળવા મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ

Leave a Comment