OTHERગુજરાત

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

ગુજરાતમાં જ્યાં પણ ભારત-પાકિસ્તાનની મેચનું સ્ક્રિનિંગ થતું હોય ત્યાં સ્ક્રિનિંગમાં ઉપસ્થિત ન રહીને આપણે વિરોધ વ્યક્ત કરવો પડશે: ડો. કરન બારોટ AAP

મેચનો બોયકોટ કરીને આપણે સૌએ આપણી બહેન અને દીકરીઓના સમર્થનમાં ઊભું રહેવાનું છે: ડો. કરન બારોટ AAP

ટેરર અને ટોક, ટ્રેડ એક સાથે ન થાય, લોહી અને પાણી એક સાથે ન વહી શકે અમારી નસોની અંદર લોહીની જગ્યાએ સિંદૂર વહે છે, તેવું કહેનારા ભાજપના નેતાઓ આજે ક્યાં છે?: ડો. કરન બારોટ AAP

ભાજપે ભારત પાકિસ્તાનની મેચને સમર્થન આપ્યું છે, તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપની વિચારધારા હવે બદલાઈ ચૂકી છે: ડો. કરન બારોટ AAP

કશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 બહેનોનું સિંદૂર ઉજળી ગયું, બાળકો અનાથ થઈ ગયા, ઓપરેશન સિંદૂરમાં ઘણા જવાનો શહીદ થયા: ડો. કરન બારોટ AAP

પોતાના પતિને ગુમાવનાર બહેનો પિતાને ગુમાવનાર બાળકો આજે શું વિચારતા હશે?: ડો. કરન બારોટ AAP

વર્લ્ડ ચેમ્પિયનશિપ લેજેન્ડમાં ભારતે પાકિસ્તાન સામે ન પાડી હતી, તો પાકિસ્તાન સામે એશિયા કપની મેચ રમવા માટે ના પાડી શકતા હતા: ડો. કરન બારોટ AAP

ઓપરેશન સિંદૂરને દેશના તમામ નાગરિકોએ અને પાર્ટીઓએ આપ્યું હતું સમર્થન: ડો. કરન બારોટ AAP

મુખ્યમંત્રી અને સી આર પાટીલ સામે રજૂઆત કરનારી બહેનો આજે શું વિચારતી હશે?: ડો. કરન બારોટ AAP

હવે આ સરકારનો લક્ષ્ય દેશ હિતમાં અને રાષ્ટ્રહિતમાં નથી પરંતુ પૈસા કમાવાનું લક્ષ્ય છે: ડો. કરન બારોટ AAP

પાકિસ્તાને હોકીના એશિયા કપ માટે ભારતનો બોયકટ કર્યો હતો, પણ શું ભાજપ સરકાર આ મેચનો વિરોધ ન કરી શકે?: ડો. કરન બારોટ AAP

આજની મેચથી જે પણ પૈસા પાકિસ્તાનના ફાળે જશે, એ પૈસાનો ઉપયોગ આતંકવાદીઓ કરશે અને ભારત પર હુમલા કરશે: ડો. કરન બારોટ AAP

આજે ભગતસિંહ, ગાંધીજી, સરદાર પટેલ, અટલ બિહારી વાજપાઈ હોત તો તેમનું પણ શરમથી માથું ઝૂકી ગયું હોત: ડો. કરન બારોટ AAP

આ ભાજપ સરકારને જાણવાની, સમજવાની અને તેમની વિચારધારાને સમજવાની આપણે જરૂર છે: ડો. કરન બારોટ AAP

Related posts

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર ના રૂપાલમાં વરદાયિની માતાજી મંદિર પલ્લી ભરાઈ

GUJARAT NEWS DESK TEAM

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્લોબલ ઇન્ડોલોજી કોન્ક્લેમાં આધુનિક રામ અને કૃષ્ણનો અદભૂત સંવાદ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવીબજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા

GUJARAT NEWS DESK TEAM

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment