OTHER

શાહપુર યુવકમંડળના ઉપક્રમે નાગરિકો અને મ્યુનિસિપલ શાળાના બાળકોને દીવા વિતરણ અને તારામંડળ વિતરણનો કાર્યક્રમ

શાહપુર યુવકમંડળના ઉપક્રમે દિવાળીના તહેવારોમાં ઘરે ઘરે સ્વદેશી દીવા પ્રગટાવીને આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને સાર્થક કરવાના શુભ આશયથી નાગરિકો અને મ્યુનિસિપલ શાળાના બાળકોને દીવા વિતરણ અને તારામંડળ વિતરણનો કાર્યક્રમ દરિયાપુરના સેવાભાવી ધારાસભ્ય કૌશિકભાઈ જૈનની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

શાહપુર યુવક મંડળના પ્રમુખ અને ગુજરાત યુનિવર્સીટીના પુર્વ ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારે સમગ્ર કાર્યક્રમની વિગતોમાં જણાવ્યું હતું કે દિવાળીના અંધકારથી ઉજાસ તરફ લઇ જતા પર્વે શાહપુરમાં વસતા નગરજનોને અને મ્યુનિ.શાળા નં-૧ ના બાળકોને દીવા વિતરણ કરવામાં આવ્યું હતું. શાહપુર શાળા નં-૧ અને ૧૫ ના  ૪૦૦ જેટલા બાળકોને તારામંડળનું વિતરણ કરી દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

દિવાવિતરણના  શુભ કાર્યક્રમમાં કાર્યકરો શ્રી રાજેશ શુકલ,શ્રી ભરતભાઈ ભાવસાર, શ્રી ભરતભાઈ પ્રજાપતિ, શ્રી જે.સી.ભાવસાર, શ્રી દિનેશભાઈ ભાવસાર,શ્રી ભીખાભાઈ, શ્રી પીન્ટુ ભાવસાર,શ્રી બિપીનભાઈમોદી, શ્રી શૈલેષ ભાવસાર, ડૉ.અશ્વિન ભાવસાર, શ્રી નિલેશભાઈ ભાવસાર સહિત યુવાનો જોડાયા હતાં.

 

 

Related posts

અદાણી જૂથનું સૌર ઉર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન   

GUJARAT NEWS DESK TEAM

સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએःઃ કઠવાડિયા

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસની સડકથી લઇ સંસદ સુધીની લડાઈ : અમિત ચાવડા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી પર્વની ઉજવણીમાં સહભાગી થઈ હોળી દર્શન કર્યા

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

GUJARAT NEWS DESK TEAM

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે પ્રથમ આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક કામગીરીનો પ્રારંભ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment