જબલપુરમાં મોટી દુર્ઘટના
૩૦ પર્યટકો ભરેલું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં ૪ના મૃતદેહ મળ્યા
અત્યાર સુધીમાં ૧૫ લોકોને બચાવી લેવાયા

મધ્યપ્રદેશના જબલપુરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ બરગી ડેમમાં ગુરુવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે. નર્મદા નદીના બેકવોટરમાં પ્રવાસીઓથી ભરેલી એક ક્રૂઝ અચાનક ડૂબી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. અત્યાર સુધીમાં ૧૫ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે ચારના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ, અચાનક આવેલા તોફાન અને ભારે પવનને કારણે ક્રૂઝનું સંતુલન બગડ્યું હતું અને તે પાણીમાં ડૂબી ગઈ હતી.
દુર્ઘટના સમયે ક્રૂઝ પર અંદાજે ૩૫થી ૪૦ પ્રવાસીઓ સવાર હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં ૧૫થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાેકે, હજુ પણ ઘણા પ્રવાસીઓ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે. આ ચાર મૃતદેહોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટનાસ્થળે હાજર છે અને ગોતાખોરો દ્વારા લાપતા લોકોની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ે