રાષ્ટ્રીય

ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ,  શુભેચ્છાઓ પાઠવી 

ઈદ-ઉલ-ફિત્રનીરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ,  શુભેચ્છાઓ પાઠવીને ભાઈચારો અને સમૃદ્ધિની કામના કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, સમાજમાં ભાઈચારો, સંવાદિતા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર આત્મસંયમ, સેવા, પરોપકાર અને વંચિતો પ્રત્યે કરુણાની પ્રેરણા આપે છે.” રાષ્ટ્રપતિએ લોકોને આ પ્રસંગે સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા હાકલ કરી.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પોતાના સંદેશમાં કહ્યું, “ઈદ મુબારક! આ પવિત્ર તહેવાર આશા, સંવાદિતા અને કરુણાને પ્રોત્સાહન આપે અને દરેકના જીવનમાં ખુશી અને સફળતા લાવે.”

એક્સ પર પોતાના સંદેશમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેશવાસીઓને ઈદ અલ-ફિત્રની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, આ દિવસ સમાજમાં ભાઈચારો અને કરુણાની ભાવનાને વધુ મજબૂત બનાવે. તેમણે દરેકને ખુશી, શાંતિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઈદ અલ-ફિત્ર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી રહી છે, અને લોકો એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Related posts

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

GUJARAT NEWS DESK TEAM

સમાચાર એજન્સી યુએનઆઈનું મુખ્યાલય પોલીસે બળજબરીપૂર્વક સીલ કર્યુ

GUJARAT NEWS DESK TEAM

મરાઠી મામલે અભિનેત્રી રાજશ્રી મોરે સાથે મનસેના નેતાના પુત્રની ગેરવર્તણૂંક

GUJARAT NEWS DESK TEAM

ભારતને બુદ્ધિમત્તાના લેવા યુયુગનું નેતૃત્વવાધનનેગૌતમ અદાણીનીહાકલ

GUJARAT NEWS DESK TEAM

શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

GUJARAT NEWS DESK TEAM

ઉત્તરાખંડ વિધાનસભાનું બે દિવસનું ખાસ સત્ર આજથી શરૂ, રાષ્ટ્રપતિનું સંબોધન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment