ગુજરાત

ભાજપના શાસનમાં કમિશન, કમલમ અને કૌભાંડની રાજનીતિથી લોકો પરેશાન : અમિત ચાવડા

ભાજપના શાસનમાં કમિશનકમલમ અને કૌભાંડની રાજનીતિથી લોકો પરેશાન : શ્રી અમિત ચાવડા

  • હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચારની નીતિ જવાબદાર  : શ્રી અમિત ચાવડા
  • ભાજપના ભ્રષ્ટ શાસનથી કંટાળી સામાજિક-રાજકીય કાર્યકરો, આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે : શ્રી અમિત ચાવડા
  • સૌ સાથે મળી ભ્રષ્ટાચાર ખતમ કરવાની લડાઈ લડીશું. : શ્રી અમિત ચાવડા
  • ભાજપમાં ભંગાણવડોદરા ભાજપના દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં : શ્રી રૂત્વિજ જોષી

રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જણાવ્યું હતું કે, કમિશન, કમલમ અને કૌભાંડની સત્તા ચાલે છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની ઉઘાડી લૂટ ચાલી રહી છે. પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે તેમાંથી લોકોને મુક્તિ આપવાના આશય સાથે જાહેર જીવનમાં કામ કરતા, વર્ષોથી લોકો માટે આંદોલન કરતા અનેક ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસકો દિવસને દિવસે ખુલ્લા પડી રહ્યા છે. ચોમાસામાં પૂર આવવાના કારણે તારાજી સર્જાય છે જ્યારે વડોદરાની જનતા અવાજ ઉઠાવે છે ત્યારે એની વાત કોઈ સાંભળવામાં આવતી નથી.

હરણીકાંડ બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચારની નીતિ જવાબદાર છે. શ્રી આશિષભાઈ જોશીએ ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર હોવા છતા સરકાર સામે પ્રશ્નો કર્યા હતા. આ પ્રશ્નોના કારણે તેમને પાર્ટીમાંથી દૂર કરવાની કાર્યવાહી થઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે, હું વિશ્વાસ સાથે કહું છું કે, આવનારા સમયમાં વડોદરા કોંગ્રેસની આખી આ ટીમ વડોદરાના લોકો માટે અને ગુજરાતના લોકો માટે સક્રિય રીતે કામ કરશે.

            વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રૂત્વિજભાઈ જોષીની ઉપસ્થિતીમાં શ્રી અમિતભાઈ ચાવડાના હસ્તે વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં છ ટર્મથી ધારાસભ્ય રહેલા મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી નિલમબેન શ્રીવાસ્તવને ખેસ પહેરાવી કોંગ્રેસ પક્ષમાં સ્વાગત કર્યું. આ સાથે સાથે ધનંજયભાઈ શ્રીવાસ્તવ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. તારીખ ૨૩/૦૩/૨૦૨૬ના રોજ  ભાજપના કોર્પોરેટર આશિષભાઈ જોષી અને પારૂલબેન પટેલ પણ જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને વડોદરાના પ્રભારી શ્રી બિમલભાઈ શાહ, અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વડોદરાના સહપ્રભારી શ્રી નીરવભાઈ બક્ષી, પ્રદેશ પ્રવક્તા શ્રી નિશાંતભાઈ રાવલ હાજર હતા.

Related posts

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

સોમનાથમાં મહામહિમ રાષ્ટ્રપતિજીના આગમન સમયે નાના બાળકોના મંત્રોચ્ચારનો વિરોધ કરતા સ્વાર્થી તત્વોનું કૃત્ય અશોભનીય: શ્રી સોમનાથ ટ્રસ્ટ

GUJARAT NEWS DESK TEAM

નિરવ બક્ષીની આગેવાનીમાં દરિયાપુર વોર્ડમાં વોટ ચોર ગાદી છોડ અભિયાન

GUJARAT NEWS DESK TEAM

આઈઆઈએમએના 61મા પદવીદાન સમારંભમાં સ્નાતક થયેલ 629 વિદ્યાર્થીઓને સુશ્રી ચંદ્રિકા ટંડને કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તાની દુનિયામાં, સંકલિત બુદ્ધિમત્તા એટલે ‘સંપૂર્ણ’ માનવ બનવું. તે સાચા નેતૃત્વને વ્યાખ્યાયિત કરશે”  

સરકાર કમોસમી વરસાદથી સંપૂર્ણ પાકના નાશથી પાયમાલ થયેલ ખેડૂતોને જેટલું વાવેતર છે તેટલું તેમને વળતર આપેઃ શક્તિસિંહ ગોહિલ

GUJARAT NEWS DESK TEAM

ઇંધણના મોનિટરિંગ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના

Leave a Comment