અમદાવાદ શહેરમાં ફાયર વિભાગ દ્વારા હોટલો સામે કડક તવાઈ બોલાવવામાં આવી છે. શહેરના મોટેરા, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારની હોટલોમાં ફાયર વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફાયર ર્દ્ગંઝ્ર વગર ધમધમતી હોટલો વિરૂદ્ધ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તંત્ર દ્વારા અગાઉ ૭ જૂન અને ૧૮ જૂનના રોજ આ હોટલોને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાંય ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરાતા ૩૭ જેટલી હોટલને નોટિસ આપ્યા બાદ હવે સીલિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.આ અંતર્ગત ચાંદખેડા વિસ્તારની ૪ હોટલને ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાયું છે. ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ ફાયરના જરૂરી સાધનો ન હોવાને કારણે આ હોટલો સામે પગલાં લેવાયા છે. હાલમાં ફાયર વિભાગ અને છસ્ઝ્ર એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.