ગુજરાત

કોળી સમાજના યુવક પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં AAPએ આપ્યું આવેદનપત્ર

કોળી સમાજના યુવક પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં AAPએ આપ્યું આવેદનપત્ર

 

 

AAP નેતા રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં પોલીસ કમિશનરને અપાયું આવેદનપત્ર

ખાખી વર્દીના હેવાનની તપાસ કરીને તેને ફરજમાંથી મુક્ત કરો, કડક કાર્યવાહી કરી જેલ ભેગો કરો: રાજુભાઈ સોલંકી AAP

સરકારે તાત્કાલિક કડક પગલાં ન ભર્યા તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે: રાજુભાઈ સોલંકી AAP

અમદાવાદ/રાજકોટ/ગુજરાત

રાજકોટમાં કોળી સમાજના યુવાન પર પોલીસ દ્વારા અત્યાચાર સામે આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની સાથે સાથે સામાજિક આગેવાનો અને વિશાળ સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોળી, ઠાકોર તેમજ અન્ય પછાત સમાજના લોકો પર પોલીસ દ્વારા અન્યાય, બેરહેમીથી મારપીટ અને ખોટા કેસોના બનાવો વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેમણે તાજેતરમાં રાજકોટની ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજકોટમાં કોળી સમાજના પત્રકાર યુવકને પોલીસ દ્વારા લોકઅપમાં લઈ જઈ બેરહેમીથી મારપીટ કરવામાં આવી. આ મામલે ડીસીપી જગદીશ બાંગરવા પર ગંભીર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે યુવક સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું, જેમાં તેના ગુદામાર્ગમાં પેટ્રોલ નાખવામાં આવ્યું અને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે, જે માનવતાની હદ વટાવતું કૃત્ય છે.

રાજુભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં પ્રભાવશાળી લોકો અને બિલ્ડર સાથે સાંઠગાંઠ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. તેમણે રાજકોટ પોલીસ વિભાગને અપીલ કરી કે પીડિતને સુરક્ષા આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરીને તેમને ફરજમાંથી દૂર કરવામાં આવે. તેમણે ચેતવણી આપી કે જો ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો સમગ્ર ગુજરાતમાં સમાજના લોકો અને સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Related posts

મોદીની અપીલની અસર,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીઆઇપી કાફલો ઘટાડ્યો

GUJARAT NEWS DESK TEAM

વાવાઝોડાથી જોડિયાના સંચાણા બંદરે  50થી 60 માછીમારી બોટને નુકસાન પહોંચતાં તારાજી 

પ્રોટોકોલ મુદ્દે મહિલા ધારાસભ્ય દર્શનાબહેન ધરણા પર બેઠાં

વનતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

GUJARAT NEWS DESK TEAM

રાજ્ય મંત્રી મંડળના નવા સભ્યશ્રીઓનો પરિચય

GUJARAT NEWS DESK TEAM

ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે AAPના પ્રતિનિધિ મંડળને મળવા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment