ગુજરાત

ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે AAPના પ્રતિનિધિ મંડળને મળવા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો

ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે AAPના પ્રતિનિધિ મંડળને મળવા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો
ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ, તેમની લાગણીઓ અને માંગણીઓ બાબતે AAP  પ્રતિનિધિ મંડળને સમય આપવા વિનંતી: ગોપાલ ઇટાલીયા
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને કડદા પ્રથા સહિત કોઈ ને કોઈ બહાને ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે: ગોપાલ ઇટાલીયા
દર વર્ષે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે: ગોપાલ ઇટાલીયા
ગુજરાતમાં ખાતરની અછત, સિંચાઈના પાણીની અછત, મોંઘા બિયારણો, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જેવા અનેક મુદ્દાઓના કારણે ખેડૂતો પરેશાન: ગોપાલ ઇટાલીયા
અમદાવાદ / જુનાગઢ / બોટાદ / સુરેન્દ્રનગર / ગાંધીનગર / ગુજરાત
ખેડૂતોનાં હક માટે ખેડૂતોનો અવાજ બનીને તેની પડખે ઉભી રહેલી આમ આદમી પાર્ટી હવે ખેડૂતોની માંગો લઇને રાજ્યનાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે જઇ રહી છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે તારીખ 16 ડિસેમ્બરનાં દિવસનો સમય માંગવામાં આવ્યો છે. વિસાવદર આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્ર લખીને મુખ્યમંત્રી પાસે મળવાનો સમય માંગ્યો છે. AAP નેતા ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્ર જણાવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં આજે પણ કરોડો લોકો ખેતી પર નિર્ભર છે પરંતુ આપણે ખેતીને નફાકારક બનાવી શક્યા નથી. ત્યારે ગુજરાતમાં દર વર્ષે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને ખેડૂતો દેવાદાર બની રહ્યા છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતરની અછત, સિંચાઇનાં પાણીની અછત, મોંઘા બિયારણો, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને ખેડૂતોને પોતાની જણસના પોષણક્ષમ ભાવ મળતા નથી. કેટલાક વેપારીઓ દ્વારા કડદા પ્રથાના નામે કોઈ ને કોઈ બહાના હેઠળ ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. બોટાદના ખેડૂતોની કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી ત્યારે આપ દ્વારા આ આંદોલનને કચડી નાખવા લાઠીચાર્જ કરીને ફોજદારી કાર્યવાહી કરી જેલમાં ધકેલવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દાઓ તથા ગુજરાતના ખેડૂતોની લાગણી અને માંગણીઓ બાબતે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આપને આપની કચેરી ખાતે મળવા માંગે છે. તારીખ 16મી ડિસેમ્બર મંગળવારના રોજ મુલાકાત માટે સમય આપવા માટે આપને સવિનય વિનંતી કરીએ છીએ.

Related posts

સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો મામલો કલેક્ટર અને નાયબ મામલતદારના પહેલા જાન્યુ. સુધીના રિમાન્ડ મંજૂર

GUJARAT NEWS DESK TEAM

FGD નિયમમાં છૂટછાટથી પ્રતિ યુનિટ વીજ ઉત્પાદન ખર્ચ 25-30 પૈસા ઘટશે જેનો સીધો લાભ ગ્રાહકોને થશે

GUJARAT NEWS DESK TEAM

સાયન્સ સિટિ ખાતે નેશનલ સ્પેસ ડેની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

રાજ્યસભામાં શક્તિસિંહે જર્મનીની કસ્ટડીમાં રહેલી બાળકીનો મુદ્દો ઉઠાવ્યો

GUJARAT NEWS DESK TEAM

અમારો સંકલ્પ છે કે “નશામુક્ત ગુજરાત” અને “ગાંધીનગર સુધી પહોંચતા હપ્તામુક્ત ગુજરાતઃહેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment