ઈદ-ઉલ-ફિત્રનીરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ, શુભેચ્છાઓ પાઠવીને ભાઈચારો અને સમૃદ્ધિની કામના કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, સમાજમાં ભાઈચારો, સંવાદિતા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર આત્મસંયમ, સેવા, પરોપકાર અને વંચિતો પ્રત્યે કરુણાની પ્રેરણા આપે છે.” રાષ્ટ્રપતિએ લોકોને આ પ્રસંગે સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા હાકલ કરી.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પોતાના સંદેશમાં કહ્યું, “ઈદ મુબારક! આ પવિત્ર તહેવાર આશા, સંવાદિતા અને કરુણાને પ્રોત્સાહન આપે અને દરેકના જીવનમાં ખુશી અને સફળતા લાવે.”
એક્સ પર પોતાના સંદેશમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેશવાસીઓને ઈદ અલ-ફિત્રની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, આ દિવસ સમાજમાં ભાઈચારો અને કરુણાની ભાવનાને વધુ મજબૂત બનાવે. તેમણે દરેકને ખુશી, શાંતિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઈદ અલ-ફિત્ર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી રહી છે, અને લોકો એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.