OTHER

શાહપુર યુવકમંડળના ઉપક્રમે નાગરિકો અને મ્યુનિસિપલ શાળાના બાળકોને દીવા વિતરણ અને તારામંડળ વિતરણનો કાર્યક્રમ

શાહપુર યુવકમંડળના ઉપક્રમે દિવાળીના તહેવારોમાં ઘરે ઘરે સ્વદેશી દીવા પ્રગટાવીને આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને સાર્થક કરવાના શુભ આશયથી નાગરિકો અને મ્યુનિસિપલ શાળાના બાળકોને દીવા વિતરણ અને તારામંડળ વિતરણનો કાર્યક્રમ દરિયાપુરના સેવાભાવી ધારાસભ્ય કૌશિકભાઈ જૈનની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

શાહપુર યુવક મંડળના પ્રમુખ અને ગુજરાત યુનિવર્સીટીના પુર્વ ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારે સમગ્ર કાર્યક્રમની વિગતોમાં જણાવ્યું હતું કે દિવાળીના અંધકારથી ઉજાસ તરફ લઇ જતા પર્વે શાહપુરમાં વસતા નગરજનોને અને મ્યુનિ.શાળા નં-૧ ના બાળકોને દીવા વિતરણ કરવામાં આવ્યું હતું. શાહપુર શાળા નં-૧ અને ૧૫ ના  ૪૦૦ જેટલા બાળકોને તારામંડળનું વિતરણ કરી દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

દિવાવિતરણના  શુભ કાર્યક્રમમાં કાર્યકરો શ્રી રાજેશ શુકલ,શ્રી ભરતભાઈ ભાવસાર, શ્રી ભરતભાઈ પ્રજાપતિ, શ્રી જે.સી.ભાવસાર, શ્રી દિનેશભાઈ ભાવસાર,શ્રી ભીખાભાઈ, શ્રી પીન્ટુ ભાવસાર,શ્રી બિપીનભાઈમોદી, શ્રી શૈલેષ ભાવસાર, ડૉ.અશ્વિન ભાવસાર, શ્રી નિલેશભાઈ ભાવસાર સહિત યુવાનો જોડાયા હતાં.

 

 

Related posts

અસામાજીક તત્વોને કડક હાથે ડામી દોઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી પાણી પુરવઠા બોર્ડની ઓચિંતી મુલાકાત

ડોક્ટર દીપક લીમ્બાચીયા ના બે રિસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય મેડિકલ જનરલ માં પ્રસિદ્ધ થયા

GUJARAT NEWS DESK TEAM

શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ચાર પ્રતિષ્ઠિત ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 5 ડિસેમ્બર થી લાગુ 

GUJARAT NEWS DESK TEAM

લોકોને રંજાડતા-કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા મુખ્યમંત્રીની તંત્રને તાકિદ

Leave a Comment