રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીનો ઝ્રસ્ રેવંત રેડ્ડીને રમૂજી જવાબ ‘જાે ગુજરાતવાળી ફોર્મ્યુલા લગાવું, તો તેલંગાણાને મળતી મદદ અડધી થઈ જશે!’


હકીકતમાં, એક કાર્યક્રમમાં રેવંત રેડ્ડીએ ગુજરાત મોડલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જે રીતે પૂર્વ પીએમ મનમોહન સિંઘે મુખ્યમંત્રી રહેતી વખતે મોદીજીની મદદ કરી હતી, તેવી જ રીતે પીએમ મોદી પણ તેલંગાણાને આશીર્વાદ આપે અને વિકાસમાં સાથ આપે. આના પર પીએમ મોદીએ રમુજી અંદાજમાં કહ્યું કે, જાે હું ગુજરાતવાળો ફોર્મ્યુલા (તે સમયની કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ) લાગુ કરી દઉં, તો તેલંગાણાને આજે જે મળી રહ્યું છે, તે અડધું થઈ જશે.
ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યા પછી કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “હવે, રેવંતે કહ્યું હતું કે આપણે રાજનીતિ વિશે વાત નહીં કરીએ, તેથી હું પણ આ વિશે વાત નહીં કરું અને તેથી, હું રેવંત સાથે બિન-રાજકીય બાબતો પર વાત કરીશ અને તેથી, હું એ કહેવા માગીશ કે હું તમને તે બધું જ આપવા માટે તૈયાર છું, જેટલું ભારત સરકારે પોતાના ૧૦ વર્ષના શાસનકાળમાં ગુજરાતને આપ્યું છે, પરંતુ મારી જાણકારીના આધારે હું તમને કહી શકું છું કે જાે હું આવું કરીશ, તમને જે કંઈ પણ મળી રહ્યું છે, તે અડધું રહી જશે. તમે જ્યાં પણ પહોંચવા માગો છો, ત્યાં પહોંચી નહીં શકો…”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદના ૐૈંઝ્રઝ્રમાં ડિજિટલ માધ્યમથી તેલંગાણામાં અંદાજે ૯,૪૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેલંગાણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લ, મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી, કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને અન્ય ઘણા નેતાઓ હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર (ૐૈંઝ્રઝ્ર)માં ઉપસ્થિત રહ્યા હતા.
ઁસ્ મોદીએ અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, જેમાં હૈદરાબાદ-પણજી આર્થિક કોરિડોર પર ગુડેબેલ્લુરથી મહેબૂબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૬૭ને ફોર લેન બનાવવાનો સમાવેશ થાય છે. તેમણે રેલવેના કાઝીપેટ-વિજયવાડા મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટના વિવિધ સેક્શન, હૈદરાબાદમાં ગ્રીનફિલ્ડ ર્ઁંન્ (પેટ્રોલિયમ, તેલ, લુબ્રિકન્ટ્સ) ટર્મિનલ, કાઝીપેટ રેલ અંડર રેલ બાયપાસ અને વારંગલમાં પીએમ મિત્ર પાર્ક (કાકતીય મેગા ટેક્સટાઈલ પાર્ક)નું ઉદ્ઘાટન પણ કર્યું હતું. અંદાજે ૧,૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કાકતીય મેગા ટેક્સટાઈલ પાર્ક ભારતનો પહેલો સંપૂર્ણ રીતે કાર્યરત પીએમ મિત્ર પાર્ક છે.

Related posts

શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

GUJARAT NEWS DESK TEAM

થલાપતિએ ફ્લોર ટેસ્ટ જીત્યો, ટીવીકેને ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન મળ્યું, ભાજપ-પીએમકે વોકઆઉટ

ફ્લાઇટમાંથી વંદો નિકળતાં એર ઇન્ડિયાને માફી માંગવી પડી

બિહારના નિવૃત્ત પત્રકારોને 15,000 રૂપિયા પેન્શન મળશે

GUJARAT NEWS DESK TEAM

જબલપુરમાં મોટી દુર્ઘટના ૩૦ પર્યટકો ભરેલું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં ૪ના મૃતદેહ મળ્યા અત્યાર સુધીમાં ૧૫ લોકોને બચાવી લેવાયા

વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment