રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના પેટ્રોલિયમ મંત્રીના સંકેત

૧૨ મેના રોજ યોજાયેલી  વાર્ષિક વ્યાપાર સમિટ ૨૦૨૬ દરમિયાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે ન્ઁય્ની અછત નથી. સરકારે ન્ઁય્નું દૈનિક ઉત્પાદન લગભગ ૩૫ હજાર ટનથી વધારીને ૫૫થી ૫૬ હજાર ટન સુધી પહોંચાડ્યું છે.
તેમણે કહ્યું કે ભારત પાસે હાલમાં લગભગ ૬૦ દિવસ જેટલું ક્રૂડ ઓઇલ અને ન્દ્ગય્નું સ્ટોક ઉપલબ્ધ છે, જ્યારે ન્ઁય્નો ૪૫ દિવસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે સરકારે છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં વધારો કર્યો નથી. જાેકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ભવિષ્યમાં ભાવ નહીં વધે એવી કોઈ ખાતરી નથી.
હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં દરરોજ અંદાજે ૧,૦૦૦ કરોડનું નુકસાન ભોગવી રહી છે. કંપનીઓ પર કુલ ૧.૯૮ લાખ કરોડની અંડર-રિકવરી હોવાનું પણ તેમણે જણાવ્યું.
પેટ્રોલિયમ મંત્રી એ ચેતવણી આપી કે જાે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ભારત પર નાણાકીય દબાણ વધી શકે છે. આવી સ્થિતિમાં સરકાર અને ઓઇલ કંપનીઓને કઠિન ર્નિણયો લેવા પડી શકે છે.
તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે જવાબદારીપૂર્વક પરિસ્થિતિ સંભાળી રહી છે અને દેશભરમાં ગેસ પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે.

Related posts

દેશના ૧૭ રાજ્યોમાં ૧૨ કલાકમાં વરસાદ-વાવાઝોડાનું ઍલર્ટ

ચૂંટણી પરિણામ પહેલા ટીએમસીનો મોટો દાવો પશ્ચિમ બંગાળમાં ૨૨૬ થી વધુ બેઠકો જીતીશું : મમતા બેનર્જી

રેશન સિસ્ટમમાં પરિવાર દીઠ ૩૫ કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ

તમિલનાડુના તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બસ કાર વચ્ચે અકસ્માતમાં સાતના મોત

GUJARAT NEWS DESK TEAM

આસામના જાેરહાટ એરબેસ AIFનું વિમાન ક્રેશ, ૫ જવાન શહીદ

કુલગામમાં સતત બાર દિવસથી સર્ચઓપરેશન યથાવત

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment