રાષ્ટ્રીય

તમિલનાડુના તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બસ કાર વચ્ચે અકસ્માતમાં સાતના મોત

તમિલનાડુના તિરુચિરાપલ્લી-ચેન્નઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગઈકાલે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા. ટાયર ફાટવાથી નિયંત્રણ ગુમાવતા તમિલનાડુ સ્ટેટ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ બે કાર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ તિરુચિરાપલ્લી થી ચેન્નઈ જઈ રહી હતી. કુડાલુર જિલ્લાના તિટુકુડીના ઉપતુરુ વિસ્તારમાં અચાનક ટાયર ફાટ્યું. ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ બેરિયર તોડીને રસ્તા પરથી પલટી ગઈ અને ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી બે કાર સાથે અથડાઈ. બંને કાર બસ નીચે ફસાઈ ગઈ અને કચડી ગઈ. કારમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતથી હાઇવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. બસ ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Related posts

પોલેન્ડ દૂતાવાસ નજીક, કોંગ્રેસ મહિલા સાંસદ પાસેથી ચેઈન છીનવી લેવામાં આવી

ભારતને બુદ્ધિમત્તાના લેવા યુયુગનું નેતૃત્વવાધનનેગૌતમ અદાણીનીહાકલ

GUJARAT NEWS DESK TEAM

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગતા નવ મુસાફરો ભડથું

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

GUJARAT NEWS DESK TEAM

ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ,  શુભેચ્છાઓ પાઠવી 

GUJARAT NEWS DESK TEAM

ફ્લાઇટમાંથી વંદો નિકળતાં એર ઇન્ડિયાને માફી માંગવી પડી

Leave a Comment