ગુજરાત

ગૌતમ અદાણીએ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

ગૌતમ અદાણીએ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

આજે રવિવારે અક્ષય તૃતીયાના મંગલ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણીએ ગુજરાતના તારંગાની ટેકરીઓમાં બિરાજમાન શ્રી અજિતનાથ ભગવાન શ્વેતાંબર જૈન દેરાસરની મુલાકાત લઇ પૂજા અર્ચના કરી હતી.

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા હેલિપેડ પર સવારે ૭:૪૫ વાગ્યે પહોંચેલા અદાણીદંપતીનું જૈન સમાજના સભ્યોએ સ્વાગત કર્યા બાદતેઓ તારંગાની ટેકરીએ પર ગયા.જૈન સંપ્રદાયની પરંપરાઓમાં આ દિવસને ખાસ પવિત્ર માનવામાં આવતો હોવાથી શ્રદ્ધાળુઓ વહેલી સવારથી અહીં એકત્ર થાય છે અને શ્રી અજિતનાથ ભગવાન શ્વેતાંબરના શ્રધ્ધાભાવથી દર્શન કરે છે.

જૈન ધર્મના બીજા તીર્થંકર ભગવાન અજિતનાથને સમર્પિત અને સોલંકી શાસક રાજા કુમારપાલ સાથે સંકળાયેલું અને ૧૨મી સદીમાં નિર્માણ થયેલું આ મંદિરસમગ્ર જૈન સમાજ માટે માટે આસ્થાનું એક મહત્વનું તીર્થધામ છે.

ગૌતમ અદાણીએ આ ઐતિહાસિક સ્થળે આવેલા મંદિર સંકુલમાં સમય વિતાવતા પૂર્વે ગર્ભગૃહની અંદર જઇ ભગવાન અજિતનાથની મૂર્તિ સમક્ષ પૂરા શ્રધ્ધાભાવથી પ્રાર્થના કરી હતી. આ દંપતીએ અહીં ચાલતી કેન્ટીનની પણ મુલાકાત લીધીહતી..

તારંગાની આ મુલાકાત દરમિયાનશ્રી અદાણીએ મંદિરના ટ્રસ્ટી સચિનઅશોકભાઇ શાહને મળીને મંદિરની બેનમૂન સ્થાપત્ય કલા અને આધ્યાત્મિક અખંડિતતાને જાળવી રાખવા સમેત યાત્રાળુઓ માટે સુવિધાઓમાં સુધારા વધારા કરવાના હેતુસરની વિવિધ યોજનાઓ વિષે પરામર્શ કર્યો હતો.

પવિત્રસ્થળનીઆસપાસનાપ્રદેશનાપર્યાવરણીયપુનઃસ્થાપનઅનેજાળવણીમાંફાળોઆપતા તારંગાની ટેકરીઓ લીલીછમ અને હરિયાળીથી આચ્છાદિત રહે તે માટે અદાણી ગ્રુપ વનીકરણના થઇ રહેલા પ્રયાસોને પણ સમર્થન આપી રહ્યું છે.

સમૃદ્ધિ, નવો શુભારંભ અને દાન પૂણ્યના કાર્યો માટે અક્ષય તૃતીયાની તિથીનેહિન્દુ અને જૈન કેલેન્ડરમાં એક વણદીઠા શુભ મુહૂર્ત તરીકે સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. જૈન પરંપરા અનુસાર આ દિવસે ઋષભનાથને લાંબા ઉપવાસ પછી પ્રથમ દાન મળ્યું હતું, જેના કારણે તપસ્વીઓને ભોજન આપવાની પ્રથા સ્થાપિત થઈ હતી એવી માન્યતા છે.

અદાણી પરિવારે મહિનાની શરુઆતમાં હનુમાન જયંતિ પ્રસંગે ભારતના સૌથી અગ્રણી આસ્થાના પ્રતીક અને હિન્દુ મંદિરોમાંના એકઅયોધ્યાના રામ મંદિરની મુલાકાત લઇપૂજા-અર્ચના કરી વિશ્વ શાંતિ સકલ જગતના કલ્યાણ માટેપ્રાર્થના કરી હતી.

Related posts

મોદીની અપીલની અસર,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીઆઇપી કાફલો ઘટાડ્યો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

વડોદરામાં યુવાનના મોત માટે CM અને વડોદરા મનપાના શાસકો જવાબદાર, CM ને વિકાસ બતાવવા રાતોરાત ખાડા ખોદવામાં આવ્યા જેમાં પડી જતા યુવાનનું મૃત્યુ થયું : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છેઃ  હેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

મોદી સરકારની ‘નેમ ચેન્જર’ માનસિકતા : કોંગ્રેસની જનતાલક્ષી યોજનાઓના નામ બદલીને રાજનીતિ કરવાનું ષડયંત્ર કરી રહી છેઃડો. મનિષ દોશી

GUJARAT NEWS DESK TEAM

આજથી ગુજરાતમાં ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ 

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment