OTHER

પવન ઊર્જા ક્ષેત્રે ભારતની ઊંચી ઉડાન અદાણી વિન્ડે મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

પવન ઊર્જા ક્ષેત્રે ભારતની ઊંચી ઉડાન

અદાણી વિન્ડે મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

કચ્છના સફેદ રણની સરહદે મુંદ્રાના કિનારે ગ્રીન એનર્જી ક્રાંતિનું નવું પ્રતીક ઊભું થયું છે.ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિન્ડે ટેકનોલોજીની દુનિયામાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યુ છે. કંપનીએ કચ્છના મુંદ્રા ખાતે 5 મેગાવોટ (MW) ની ક્ષમતા ધરાવતા મહાકાયવિન્ડ ટર્બાઇન પ્રોટોટાઇપનું સફળતાપૂર્વક કમિશનિંગ કર્યું છે. આ મહાકાય ટર્બાઇનમાત્ર એક મશીન નથી, પણ ‘આત્મનિર્ભર ભારત’ની ગગનચૂંબી સફળતા છે.

આ ટર્બાઇન તેના કદ અને ક્ષમતાની દ્રષ્ટિએ ભારતના પવન ઊર્જા ઉદ્યોગમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. વિશાળ ટર્બાઇનની મુખ્ય ત્રણ વિશેષતાઓની વાત કરીએ તો:

  1. ગગનચૂંબીઊંચાઈ:આ ટર્બાઇનનો રોટર ડાયામીટર 185 મીટર છે, જે તેને ભારતના સૌથી મોટા વિન્ડ ટર્બાઇન્સમાં સ્થાન અપાવે છે.
  1. વિરાટ પાંખો: તેની એક બ્લેડની લંબાઈ 91.2 મીટર છે. આ બ્લેડ્સ પવનના ઓછા વેગમાં પણ વધુમાં વધુ ઊર્જા ખેંચવાની ક્ષમતા ધરાવે છે.
  1. શક્તિનો સ્ત્રોત: માત્ર એક જ ટર્બાઇન હજારો ઘરોને રોશન કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતની વધતી જતી વીજ માંગ માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થશે.

આ સાથે વૈશ્વિક ફલક પર રિન્યુએબલ એનર્જીમાં ભારતનો દબદબોવધ્યો છે.બ્લૂમબર્ગ NEF ના તાજેતરના અહેવાલ મુજબ, પવન ઊર્જાના સ્થાપન (Installations) બાબતે ભારત હવે ચીન પછી વિશ્વનું બીજું સૌથી મોટું માર્કેટ બનીને ઉભરી આવ્યું છે, જેણે અમેરિકા અને જર્મનીને પણ પાછળ છોડી દીધા છે. અદાણી વિન્ડ એ વિશ્વના ટોપ-15 વિન્ડ ટર્બાઇન ઉત્પાદકોમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની બની છે.

ભારતની વિન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 2022માં 12 GW હતી જે વધીને હવે 20 GW સુધી પહોંચી છે. તે માત્ર ભારતની જરૂરિયાતો જ નહીં, પણ યુરોપ જેવા દેશોમાં એન્ટી-આઈસિંગ ટેકનોલોજી ધરાવતી બ્લેડ્સની નિકાસ પણ કરી રહી છે. કંપનીનું લક્ષ્ય વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.25 GW થી વધારીને 10 GW સુધી લઈ જવાનું છે.

જમીન ઓછી અને જરૂરિયાત વધુ” – આ પડકારનો જવાબ અદાણીએ આ હાઈ-કેપેસિટી ટર્બાઇન દ્વારા આપ્યો છે. 1,100 GW ની ક્ષમતા ધરાવતું ભારત હવે પવનના જોરે વિશ્વનું ‘એનર્જી કેપિટલ’ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

Related posts

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

GUJARAT NEWS DESK TEAM

ભગવાન બિરસા મુંડા ના 150 મા વર્ષ ની જન્મ જયંતી વર્ષની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

વિપક્ષને નબળો પાડનારા ભાજપાના કટ્ટર સમર્થકોએ સરકાર પાસેથી કામ લેવામાં નિષ્ફળ. – મનહર પટેલ

GUJARAT NEWS DESK TEAM

શાહપુર યુવકમંડળના ઉપક્રમે નાગરિકો અને મ્યુનિસિપલ શાળાના બાળકોને દીવા વિતરણ અને તારામંડળ વિતરણનો કાર્યક્રમ

GUJARAT NEWS DESK TEAM

સિલ્વિન એડિટિવ્સે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ – ‘દિવાદાંડી’ ની શરૂઆત કરી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment