OTHER

અસારવા યુથ સર્કલ દ્વારા ‘સિદ્ધિ ના સન્માન’ કાર્યક્રમ યોજાયો

અસારવા યુથ સર્કલ દ્વારા પ્રમુખ શ્રી સંજય પટેલના માર્ગદર્શન હેઠળ ‘સિદ્ધિ ના સન્માન’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અભ્યાસ, કથક તથા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી રંજનાબેન મનુભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. અતિથિ વિશેષ શ્રીમતી ગીતાબેન પટેલ, તંત્રી – માનવ મિત્ર સાંધ્ય દૈનિક, એ પણ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરી સતત મહેનત અને પ્રગતિ માટે પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ, મહાનુભાવો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ શ્રી સંજય પટેલ તથા અસારવા યુથ સર્કલના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમને સહયોગ આપવા બદલ પી.સી. સ્નેહલ ગ્રૂપનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અસારવા યુથ સર્કલે ભવિષ્યમાં પણ સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરતા આવા પ્રેરણાદાયી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related posts

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાશે

GUJARAT NEWS DESK TEAM

રાજ્ય તાઈકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડન કતાર ડિવિઝનના ૧૫ બાળકોનો ડંકો

GUJARAT NEWS DESK TEAM

તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ચાર પ્રતિષ્ઠિત ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 5 ડિસેમ્બર થી લાગુ 

GUJARAT NEWS DESK TEAM

અનંત અંબાણીએ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી

GUJARAT NEWS DESK TEAM

અદાણી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હી ખાતેAVPNવેલકમ ડિનરનું આયોજન; ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તન અનેપરોપકારનો સંદેશ

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment