ગુજરાત

અદાણી યુનિવર્સિટીમાં ‘ASPIRE 2026’નું ભવ્ય આયોજન2026

અદાણી યુનિવર્સિટીમાં ‘ASPIRE 2026’નું ભવ્ય આયોજન2026

 કલા, સંસ્કૃતિ અને રમતગમતનો ત્રિવેણી સંગમ

અમદાવાદ, ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬: અદાણી યુનિવર્સિટી દ્વારા તેના વાર્ષિક આંતરકોલેજ સાંસ્કૃતિક અને રમતગમત મહોત્સવ ‘ASPIRE 2026’ નું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. ચાર દિવસીય આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય, નાટક અને રમતગમત જેવી વિવિધ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ પ્રતિભાઓ ઉજાગર થઈ હતી. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સ્પર્ધાત્મક ભાવના અને સહયોગના ગુણ વિકસે અને સાથે જ એમનામાં નેતૃત્વ અને ચારિત્ર્ય નિર્માણનો ઉદ્દેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. ત્યારબાદ સ્ટુડન્ટ અફેર્સના ડીન ડો. જીજ્ઞેશ ઠાકરે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડો.) ધવલ પૂજારાએ પણ પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના મેન્સ અન્ડર-19 ટીમના હેડ કોચ હેમ જોશીપુરા અને અતિથિ વિશેષ તરીકે વર્લ્ડ કપ વિજેતા અન્ડર-19 ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વેદાંત ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને જુસ્સો, ખંત અને ટીમવર્કનું મહત્વ સમજાવતુ પ્રેરક ઉદબોધન કર્યુ હતું. સન્માન સમારોહ બાદ, મહાનુભાવોએ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. આ સાથે જ ‘જલ’, ‘પૃથ્વી’, ‘વાયુ’, ‘અગ્નિ’, ‘અંતરિક્ષ’ અને ‘આકાશ’ હાઉસના કેપ્ટનોએ મશાલ પ્રજ્વલિત કરી એકતા અને ખેલદિલીનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમના અંતે સ્ટુડન્ટ અફેર કમિટી (SAC) ના મેમ્બર સેક્રેટરી ડો. રિયા મહેતાએ આભારવિધિ કરી હતી, ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે ઉદઘાટન સમારોહ સંપન્ન થયો અને રમતગમતની સ્પર્ધાઓની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. ASPIRE 2026 થકી અદાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ઉત્સાહ, સર્જનાત્મકતા તેમજ નેતૃત્વના ગુણોને પ્રોત્સાહનના પ્રયાસોને વેગ મળી રહ્યો છે.

 

 

 

 

 

 

 

Related posts

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં 649 પદવીઓ એનાયત કરવામાં આવી

GUJARAT NEWS DESK TEAM

સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર: : ડો.હિરેન બેન્કર.

GUJARAT NEWS DESK TEAM

બેરોજગારીના આક્ષેપો તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત, વાસ્તવમાં સમસ્યા આંકડાઓમાં નહીં પણ વિપક્ષની માનસિકતામાં- ડૉ. અનિલ પટેલ

જે ધારાસભ્યોને ફોન આવ્યાં તેમની યાદી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતની મતદારયાદીમાં ચૂંટણી પંચના SIR દ્વારા પ્રાથમિક કમી કરાયેલા મતદારોના આંકડાઓએ કોંગ્રેસના વોટચોરીના આક્ષેપને સાચો ઠેરવ્યો.

GUJARAT NEWS DESK TEAM

ગુજકેટની આન્સર કી અંગેની રજૂઆતો બુધવાર સુધીમાં મોકલી શકાશે

Leave a Comment