પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનથી આપી આત્મીય વિદાય
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન, ગાંધીનગરથી આત્મીય વિદાય આપી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના આગમનથી સમગ્ર રાજભવન ગૌરવાન્વિત થયું છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રવાસ ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊર્જા અને પ્રેરણા પ્રદાન કરનાર સાબિત થશે. તેમની લોક કલ્યાણકારી દ્રષ્ટિ, સેવા ભાવના અને મજબૂત સંકલ્પશક્તિ દરેક નાગરિક માટે પ્રેરણાદાયી છે.