રાષ્ટ્રીય

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગતા નવ મુસાફરો ભડથું

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગતા નવ મુસાફરો ભડથું

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયુર તાલુકાના ગોરલાહટ્ટુ ગામ પાસે આજે વહેલી સવારે એક બસમાં લારી સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ. આ અકસ્માતમાં નવથી વધુ મુસાફરો જીવતા સળગી ગયા. આગમાં ખાનગી સ્લીપર કોચ બસ બળીને ખાખ થઈ ગઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી બસને એક લારી સાથે સામસામે ટક્કર મારી હતી અને તરત જ તેમાં આગ લાગી ગઈ. ગોરલાહટ્ટુ ગામ નજીક નેશનલ હાઇવે 48 પર આ અકસ્માત થયો હતો. પોલીસનું કહેવું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રારંભિક પોલીસ તપાસમાં ટ્રક ડ્રાઇવરની બેદરકારી બહાર આવી છે. ચિત્રદુર્ગના પોલીસ અધિક્ષક રંજીત ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, હિરિયુર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને અકસ્માતનું કારણ શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Related posts

જબલપુરમાં મોટી દુર્ઘટના ૩૦ પર્યટકો ભરેલું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં ૪ના મૃતદેહ મળ્યા અત્યાર સુધીમાં ૧૫ લોકોને બચાવી લેવાયા

NEET ૨૦૨૬ પેપર લીક કેસમાં CBI દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીનો ઝ્રસ્ રેવંત રેડ્ડીને રમૂજી જવાબ ‘જાે ગુજરાતવાળી ફોર્મ્યુલા લગાવું, તો તેલંગાણાને મળતી મદદ અડધી થઈ જશે!’

ઇરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગમાં સલાયાના ખલાસીનું કરૂણ મોત થયુ

મુસાફરોની સુરક્ષા વધારવા માટે રેલવે, કોચમાં સીસીટીવી કેમેરા લગાવશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment