ગુજરાત

ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજપોલ નાખી , પૂરતું વળતર ન આપી ખેડૂતો સાથે અન્યાય કરવાનું બંધ કરે સરકાર : અમિત ચાવડા

 

અમદાવાદમાં આયોજિત ખેડૂતોની મહારેલી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે,ગુજરાતમાં જાણે બ્રિટિશ શાસન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં જગતના તાત સમાન ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. ભાજપ સરકાર અંગ્રેજોની નીતિઓ અપનાવીને અન્નદાતાઓ પર અમાનુષી અત્યાચારો ગુજારી રહી છે. પોલીસ અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ખેડૂતોને ધમકાવવામાં અને ડરાવવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતોની વિવિધ ન્યાયિક માંગણીઓ માટે ગુજરાત કોંગ્રેસ અને સંખ્યાબંધ ખેડૂત સંગઠનો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે, પરંતુ ભાજપ તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ ખેડૂતોના હક માટે આ લડાઈ લડશે અને તેમનો અવાજ વધુ બુલંદ કરશે.

          ખેડૂતોના જમીન સંપાદન, વીજપોલ અને પાક વળતર જેવા ન્યાયિક મુદ્દાઓ અને તેમની પડતર માંગણીઓનું સંપૂર્ણ સમર્થન કરે છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે આજે જગતનો તાત પોતાના હક માટે રસ્તા પર આવીને આંદોલન કરવા મજબૂર બન્યો છે. કોંગ્રેસ પક્ષ હંમેશા ખેડૂતોના અધિકારોની રક્ષા માટે વિધાનસભાથી લઈને સડક સુધી લડત લડતી આવી છે અને ભવિષ્યમાં પણ લડતી રહેશે.બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને કાર્યકરતાએ ખેડૂતોના આંદોલનને પોતાના સ્વાર્થ માટે રાજકીય રંગ આપવાના અને હંગામો મચાવીને ખેડુતોની માંગને નબળા પાડવાના પ્રયાસો કર્યો હતો. કોંગ્રેસ સખત શબ્દોમાં નિંદા કરે છે.ખેડૂતોની લડત રાજનીતિથી પર હોવી જોઈએ અને  પક્ષા પક્ષી અને પોતાના અંગત સ્વાર્થ માટે અન્નદાતાના સંઘર્ષનો દુરુપયોગ કરવો જોઈએ નહીં.

Related posts

ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર

GUJARAT NEWS DESK TEAM

રાજ્યવ્યાપી કુલ ૧૩ દરોડા દરમિયાન અંદાજે રૂ. ૪૧ લાખના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જપ્ત-નાશ કરાયો

GUJARAT NEWS DESK TEAM

ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે AAPના પ્રતિનિધિ મંડળને મળવા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો

GUJARAT NEWS DESK TEAM

નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ ૬.૦૯ લાખ મતદારોની મોટી વોટ ચોરીઃચાવડા

GUJARAT NEWS DESK TEAM

સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

અમારો સંકલ્પ છે કે “નશામુક્ત ગુજરાત” અને “ગાંધીનગર સુધી પહોંચતા હપ્તામુક્ત ગુજરાતઃહેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment