રાષ્ટ્રીય

તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત… મૃત્યુઆંક વધવાની શક્યતા

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લા મંડલના ખાનપુર ગેટ ખાતે આજે સવારે છ વાગ્યાની આસપાસ થયેલા માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 મુસાફરોના મોત થયા છે. આ અકસ્માત એક ટીપર ટ્રક સાથે આરટીસી બસ અથડાતાં થયો હતો. બસમાં આશરે 70 લોકો સવાર હતા.


પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ટીપર ડ્રાઇવર અને આરટીસી બસ ડ્રાઇવરનું પણ મોત થયું હતું. ટક્કર બાદ મુસાફરો પોતાની સીટમાં ફસાઈ ગયા હતા. ટીપર ટ્રક નીચે ફસાઈને આગળની પાંચ હરોળની સીટોને નુકસાન થયું હતું. મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. આ અકસ્માત હૈદરાબાદથી 40 કિલોમીટર દૂર થયો હતો.આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને મૃતકના વારસદારને બે-બે લાખ અને ઇજાગ્રસ્તને 50-50 હજારની સહાયની જાહેરાત કરી છે.

Related posts

પ્રધાનમંત્રી મોદી, આજે લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને સંસદ રમતોત્સવમાં વર્ચ્યુઅલી પણ જોડાશે

GUJARAT NEWS DESK TEAM

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

GUJARAT NEWS DESK TEAM

આસામના જાેરહાટ એરબેસ AIFનું વિમાન ક્રેશ, ૫ જવાન શહીદ

વડાપ્રધાન મોદીનો ઝ્રસ્ રેવંત રેડ્ડીને રમૂજી જવાબ ‘જાે ગુજરાતવાળી ફોર્મ્યુલા લગાવું, તો તેલંગાણાને મળતી મદદ અડધી થઈ જશે!’

ઉત્તરાખંડ વિધાનસભાનું બે દિવસનું ખાસ સત્ર આજથી શરૂ, રાષ્ટ્રપતિનું સંબોધન

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment