ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરપ્રાંતીયો અને ઘૂસણખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા ઝૂંબેશ ચલાવાઈ રહી છે.
ઓપરેશન ડેલ્ટાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં સંપૂર્ણ ડેટા ચકાસવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીની તપાસમાં ૩૬૨ બાંગ્લાદેશી સામે આવ્યા છે.૭૦૦થી વધુની તપાસ મોડી રાત સુધી ચાલશે. પોલીસે એક જ રાતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ પકડ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક જ રાતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ પકડાયા છે. ૩૬૨ બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. ગુજરાત પોલીસના બીજા યુનિટ દ્વારા પણ તપાસ ચાલી રહી છે. આ લોકોને ઘર અને નોકરી આપવા વાળાની તપાસ કરાશે. ઘૂસણખોરોને આશરો આપનાર સામે કાર્યવાહી થશે.વગર ડોક્યુમેન્ટે નોકરી આપી હશે એના પર કાર્યવાહી થશે. સમગ્ર રાજ્યમાં ઓપરેશન ચલાવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણામાંથી પકડીશુ. તેમને પકડીને ગુજરાત અને દેશથી બહાર કરવામાં આવશે.ચંડોળા પછી આજ સુધી ૨૦૦થી વધુ પકડાયા છે. ઓપરેશન ત્યારથી ચાલતુ હતુ અને હાલ પણ ચાલુ છે અને આગળ પણ ઓપરેશન ચાલશે.છેલ્લા ૭૨ કલાકમાં ગુજરાત પોલીસે મેહનત કરી છે. ગેરકાયદે વસેલા બાંગ્લાદેશીઓની સૌથી વધુ સંખ્યા અમદાવાદ, સુરત, ભરૂચમાં છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરામાં પણ છે. ૬૨૦૦થી વધુ લોકોની તપાસ ચાલી રહી છે જેમાંથી ૩૬૨ બાંગ્લાદેશી મળી આવ્યા છે. ૧૮થી વધુ લોકોએ ભાગવાની કોશિશ કરી હતી તેમને પણ પકડવામાં આવશે.
આ અંગે રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડો. કે.એલ.એન રાવે કહ્યું હતું કે, રાજ્યમાં ઓપરેશન ડેલ્ટાની શરૂઆત થઈ છે. ૬ હજારથી વધુ ભારતીય ફોન નંબર મળ્યા છે. જેનો સીધો સંપર્ક બાંગ્લાદેશથી હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે કામગીરી કરી છે. ૭૦૦થી વધુની પૂછપરછ ચાલી રહી છે.૩૦૦થી વધુ લોકોને ડીટેન કરાયા છે. ે