બિઝનેસ

ભારત ટેક્સીની સફળતા બાદ હવે શરૂ કરાશે સહકારી જીવન વીમા કંપની

દેશમાં સહકારી ધોરણે ચાલતી ભારત ટેક્સીને મળેલ સફળતા બાદ હવે કેન્દ્ર સરકાર, સહકારી જીવન વીમા કંપનીની સ્થાપના કરશે. સહકારી જીવન વીમા કંપનીની જાહેરાત અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી. આજે સોમવારે, કેન્દ્રીય સહકારીતા પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક સહકારી જીવન વીમા કંપનીની સ્થાપના કરવામાં આવશે. સહકાર મંત્રાલયના પાંચમા સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમમાં બોલતા શાહે જણાવ્યું હતું કે, સહકારીતા મંત્રાલયની સ્થાપનાથી ભારતના સહકારી ચળવળમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. એક એવી ચળવળ જે કોંગ્રેસ શાસન દરમિયાન અવગણવામાં આવી હતી. સહકાર પ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે ‘ભારત ટેક્સી’ સારું પ્રદર્શન કરી રહી છે અને આગામી બે વર્ષમાં ૫૦૦ શહેરોમાં વિસ્તરણ કરવા માટે તૈયાર છે.
અમિત શાહે કહ્યું, “અમે સહકારી ક્ષેત્રમાં ‘ભારત ટેક્સી’ ની જેમ જ હવે જીવન વીમા કંપની સ્થાપિત કરીશું.” આ પહેલ વીમા ક્ષેત્રની અંદર સહકારી મંડળીઓના વિકાસમાં મદદ કરશે. તેમણે ધ્યાન દોર્યું કે ખાતર ક્ષેત્રની સહકારી સંસ્થા ૈંહ્લહ્લર્ઝ્રં, જાપાની કંપની સાથે સંયુક્ત સાહસ દ્વારા વીમા વ્યવસાયમાં પહેલેથી જ સંકળાયેલી છે. ભારતમાં આશરે ૮.૫ લાખ સહકારી મંડળીઓ છે. જેની સંયુક્ત સભ્યપદ ૩૦ કરોડથી વધુ છે. અમિત શાહે છેલ્લા પાંચ વર્ષમાં મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાં પર પ્રકાશ પાડ્યો, જેમાં સહકારી પ્રણાલીમાં પારદર્શિતા અને વ્યાવસાયિક વ્યવસ્થાપન લાવવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે મંત્રાલયે સહકારી ક્ષેત્રનો ડેટાબેઝ બનાવ્યો છે, જે દેશભરમાં સહકારી મંડળીઓના વિસ્તરણને સરળ બનાવશે.
શાહે ઉમેર્યું હતું કે ક્ષમતા નિર્માણ માટે ગુજરાતના આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે, જે માનવ સંસાધન પડકારોનો સામનો કરશે. સહકારી મંડળીઓ વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરી છે અને હવે ફક્ત ડેરી, ખાંડ અને ખાતર વ્યવસાયો સુધી મર્યાદિત નથી.
શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સહકારી ક્ષેત્ર ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ (વિકસિત ભારત) ના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા રાજ્યોના અધિકારક્ષેત્ર પર અતિક્રમણ થવાની ચિંતાઓને સંબોધતા, તેમણે નોંધ્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યોએ પણ છેલ્લા પાંચ વર્ષમાં આવી કોઈ દખલગીરીની ફરિયાદ કરી નથી.
શાહે જણાવ્યું કે કેન્દ્રીય સહકારીતા મંત્રાલયનો ઉદ્દેશ્ય રાજ્યના વિષયોમાં દખલ કરવાનો નથી પરંતુ નીતિઓ ઘડવાનો છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય લોકશાહી જાેડાણ (દ્ગડ્ઢછ) અને ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) સરકારોએ ગરીબોના હિતમાં સર્વાંગી વિકાસ માટે સતત કામ કર્યું છે.

Related posts

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર

GUJARAT NEWS DESK TEAM

અદાણી પોર્ટસએAI-પ્રેરીત પરિવર્તન માટે ઝડપથી સજ્જથવા અમેરિકા-સ્થિત કેલેરિસ સાથે હિસ્સેદારી વિસ્તારી

ગુજરાતનો સૌથી મોટો કન્સ્ટ્રક્શન ટ્રેડ ફેર “ગુજરાત કોનેક્સ 2025” ગાંધીનગરમાં શરૂ થયો

GUJARAT NEWS DESK TEAM

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન  

GUJARAT NEWS DESK TEAM

શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

GUJARAT NEWS DESK TEAM

GCCI દ્વારા તારીખ ૧ એપ્રિલથી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન “હસ્તકલા જ્વેલરી વર્કશોપ”યોજાયો

Leave a Comment