ભાવનગર શહેર ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે.

ભાવનગર–નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે. આ અવસરે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. આર. નાયડુ ભાવનગર આવી પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવશે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ભાવનગર–નવી મુંબઈ રૂટ પર સવાર અને સાંજ એમ દિવસમાં બે ટ્રિપ સંચાલિત થવાની છે. આ હવાઈ સેવા શરૂ થવાથી ભાવનગરના વેપાર-ઉદ્યોગને નવી દિશા મળશે અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસને વેગ મળશે તેમ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણિયાએ જણાવ્યું હતું.