ગુજરાત

મહેસાણા હાઈ-વે મોતની ચિચિયારીઓથી ગૂંજ્યો; લકઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ, ૨ના મોત

ઉત્તર ગુજરાતના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ પાસે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોંગ સઈડથી આવતી એક લકઝરી બસે કેળા ભરેલી ટ્રકને જાેરદાર ટક્કર મારતા બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૩ થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત મોડી રાત્રે ૩ વાગ્યાના અરસામાં થયો હતો. વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જાેધપુર તરફ જઈ રહી હતી. તે સમયે અમદાવાદ તરફ જતી એક લકઝરી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
ટ્રક ડ્રાઈવર તુલસીરામે આ ઘટનાની આપવીતી જણાવતા કહ્યું કે, લકઝરી બસ અચાનક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી હતી. પૂરપાટ ઝડપે આવતી બસે સામેથી આવતી કેળા ભરેલી ટ્રકને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે લકઝરી બસ રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતમાં ૨ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. બસમાં સવાર આશરે ૧૩ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે ડ્રાઈવરને જાેકું આવી ગયું હોવાને કારણે અથવા ગતિ મર્યાદા બહાર હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Related posts

અમદાવાદમાં સૌથી મોટી રકતદાન શિબિર …હર્ષ સંઘવીએ ઉદઘાટન કર્યુ

GUJARAT NEWS DESK TEAM

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, 4નાં મોત,10 લોકો ઘાયલ –

નિકોલ વિધાનસભાના  વિરાટનગર અને ઓઢવ વોર્ડ ખાતે  નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ એરપોર્ટ શિયાળાની ઋતુમાં વિઝિબિલિટીના પડકારને પહોંચી વળવા તૈયાર

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદની એલ.જી જનરલ હોસ્પિટલમાં બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન થયું

Leave a Comment